ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘આગામી પાંચ દિવસ દરમિયાન દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ઉપરાંત વૈજ્ઞાનિકોએ ઉનાળામાં વરસાદનું કારણ આપ્યું હતું. અને હવે તો એ પાક્કું જ છે કે દરેકને આ એક સવાલ તો તમારા મન આવ્યો જ હશે કે એપ્રિલ અને મે મહિનામાં આવો વરસાદ કેમ પડે છે? આ પાછળનું શું હોઈ શકે છે કારણ? આગામી સમયમાં હવામાન કેવું રહેશે? તેનું હવામાનશાસ્ત્રીઓ આપે છે આ કારણ?.. ગુજરાત સહિત દેશના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જાેરદાર વાવાઝોડા સાથેના વરસાદે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત આપી હતી. લોકો પણ ગુલાબી ઠંડીનો અહેસાસ કરવા લાગ્યા છે.
તો બીજી તરફ સ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ આ વરસાદ આફત બની ગયો છે. જ્યાં અમુક એવી ઘટનાઓ બની છે કે તમને ચક કરી દેશે.. જેમાં હાલમાં બિહારના બેગુસરાયમાં તોફાન વચ્ચે એક ઝાડ પડતાં બે મહિલાઓનાં મોત થયાં હતાં અને ૬ લોકો ઘાયલ પણ થયાં હતાં. ગુજરાત સહિત દેશના ઘણા વિસ્તારોમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો કેમ કે તેમનો ઘણો પાક પલડી ગયો અને ઘણો પાક બગડી જતા ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ થયું…. અને શુક્રવારે અમદાવાદ,પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. આ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો જાેવા મળ્યો હતો… તો બીજી તરફ તો ભરઉનાળે વરસાદની સાથે વીજળી પડવાના કારણે રાણકી વાવ જાેવા આવેલા એક પ્રવાસીનું પણ મોત નિપજ્યું હતું…
અને હવે હવામાનમાં આવેલા આ અચાનક બદલાવ માટે અને ઉનાળામાં જ વરસાદ કેમ પડે છે?હવામાન શાસ્ત્રીઓએ શું કારણ આપ્યું છે?.. તે જાણો.. આ તમામ ઘટનાઓ અંગે હવામાનશાસ્ત્રી ડૉ. એમ.આર. રણલકરે જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે ઉનાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ સક્રિય હોતું નથી, પરંતુ આ વખતે એવું નથી. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ સક્રિય બન્યું છે. જેના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના રૂપમાં ચક્રવાતનું પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન પર નીચલા અને ઉપલા ટ્રોપોસ્ફિયરના સ્તરે છે. નીચલા ટ્રોપોસ્ફિયરમાં, એક ચક્રવાતનું પરિભ્રમણ દક્ષિણ પાકિસ્તાન અને તેની નજીકના પશ્ચિમ રાજસ્થાન પર છે. ચક્રવાતી પરિભ્રમણનો એક વિસ્તાર દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને બીજાે દક્ષિણ છત્તીસગઢમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે છે.
પૂર્વ વિદર્ભથી તમિલનાડુના આંતરિક ભાગમાં પવનના ફેરફારને કારણે ઉષ્ણકટિબંધીય સ્તરોમાં આ હવામાન ફેરફારો છે. તેની અસર ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી જાેવા મળશે.આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હવામાન વિષે કેવું રહેશે તે જણાવ્યું?… ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ, હિમવર્ષા, વીજળી અને ભારે પવનની અપેક્ષા છે. આ સિવાય ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વીજળીના ચમકારા અને તેજ પવન સાથે વ્યાપક વરસાદ થઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે ૨ મે સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, ૧-૨ મે દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં, ૩ મેના રોજ રાજસ્થાનમાં પણ કરા પડી શકે છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં ૧ અને ૨ મેના રોજ ભારે વરસાદની સંભાવના છે, ૩-૪ મે દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ધૂળની ડમરીઓ સાથે પવન રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘સોમવારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અલગ-અલગ સ્થળોએ કરા પડવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં, આગામી ચાર દિવસ દરમિયાન કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. ૨ મે દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. ઉત્તરપૂર્વ ભારતમાં, ૧ અને ૨ મે દરમિયાન અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. તે જ સમયે, આસામ અને મેઘાલયમાં ૧ થી ૪ મે દરમિયાન વરસાદ પડશે. આ વર્ષે વરસાદને લઈને બે અલગ-અલગ દાવા કરવામાં આવ્યા છે.
સ્કાયમેટ વેધરનું કહેવું છે કે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે અને દુષ્કાળની સંભાવના છે. તે જ સમયે, ભારતીય હવામાન વિભાગે તેનાથી બિલકુલ વિપરીત દાવો કર્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને તે ૯૬ ટકા ( /-૫%) રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આ વર્ષે દેશભરમાં ૮૩.૭ મીમી વરસાદ પડશે. વિભાગે કહ્યું કે અલ-નીનોની સ્થિતિ જુલાઈની આસપાસ પ્રવર્તી શકે છે, પરંતુ ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં. પેસિફિક મહાસાગરમાં પેરુની નજીક સપાટીના ગરમ થવાને અલ નિનો કહેવામાં આવે છે. અલ નીનોના કારણે દરિયાના તાપમાન, વાતાવરણમાં ફેરફાર થાય છે અને આ ફેરફારને કારણે દરિયાનું તાપમાન ૪-૫ ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્વના હવામાન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. પણ હવામાન વિભાગે કહ્યું કે અલ-નીનોની સ્થિતિ જુલાઈની આસપાસ પ્રવર્તી શકે છે, પરંતુ ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં.
Recent Comments