લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને આજે એક જ દિવસમાં બીજાે મોટો ઝટકો લાગ્યો છે. રાજુલાના પૂર્વ સ્ન્છ તેમજ મોટા નેતા અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના કોંગ્રેસ સ્ન્છ અર્જુન મોઢવાડીયાએ ધારાસભ્ય પદેથી રાજુનામું આપી દીધું છે.
અર્જુન મોઢવાડીયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરના કોંગ્રેસ સ્ન્છ અર્જુન મોઢવાડીયાના રાજીનામાંની વાતો ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારબાદ વિધાનસભા સત્રમાં તેમણે સરકારને સવાલો પૂછી ઘેરી પણ હતી. જાે કે હવે રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસને મોટી ખોટ પડી છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ અર્જુન મોઢવાડીયા ભાજપમાં જાેડાશે અને પોરબંદર બેઠક પરથી પેટાચૂંટણી લડશે.
Recent Comments