ગુજરાત

હવે ભૂલથી પણ દરિયાઈ સીમા ઓળંગાઈ અને પાકિસ્તાનમાં પહોંચી ગયા તો ભરાઈ જશોપાકિસ્તાન હવે માછીમારોને જેલમાં પાંચ વર્ષ સુધી ગોંધી રાખશે

ગુજરાતના માછીમારો સાવધાન! માછીમારી કરતી વખતે જાે હવે ભૂલથી પણ દરિયાઈ સીમા ઓળંગાઈ અને પાકિસ્તાનમાં પહોંચી ગયા તો ભરાઈ જશો. અવળચંડા પાકિસ્તાને હવે માછીમારેને પ્રતાડિત કરવા નવો કાયદો બનાવ્યો છે. હવે જાે તમે ભૂલથી પણ પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પહોંચી ગયા તો એ લોકો તમને પાકિસ્તાનની જેલમાં પાંચ વર્ષ સુધી ગોંધી રાખશે. હાલ પાકિસ્તાનમાં ત્રણ વર્ષની સજાની જાેગવાઈ છે. જેમાં બદલાવ થઈ રહ્યો છે. ગુજરાતના માછીમારો માટે વધુ સતર્ક રહેવાનો સમય આવી ગયો છે, કેમ કે તે જાે તેમને ગુજરાત પાકિસ્તાનની જળ સરહદમાં પ્રવેશ કરશે તો તેમને પાંચ વર્ષની જેલની સજા થશે. એટલું જ નહીં તેમની હોડી પણ જપ્ત કરી લેવામાં આવશે. એટલેકે, ગુજરાતના માછીમારોને સમુદ્રમાં સલામત સ્થળ સુધી જ જવાનું રહેશે. પાકિસ્તાન મેરીટાઇમ ઝોન પોતે જ ગેરકાયદેસર ફિશિંગઝોનમાં આવી જઇને અપહરણ કરતી હોય છે. ઉલ્લેખનીય છેકે, હાલમાં પાકિસ્તાનમાં આશરે ૧૨૦૦ જેટલી ભારતીય બોટ છે. જેમાં ૯૫૦ જેટલી બોટ પોરબંદરની છે. હાલ પાકિસ્તાની જેલમાં ૨૬૭ ભારતીય માછીમારો કેદ છે. નોંધનીય છે કે જખૌ તરફથી આપવામાં આવેલા આઇએમબીએલ નજીક ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી નથી. તે માત્ર નો-ફિશીંગ ઝોન છે તેમ છતાં જાગૃત્તિના અભાવે માછીમારો અજાણતાથી આઇએમબીએલ પાર કરે છે અને પાકિસ્તાન મરીન સિક્યોરિટી તેમને પકડી લે છે.

Related Posts