૨૦૦૦ની નોટોનું ચલણ બંધ થયા બાદ ભારતીય રિઝર્વ બેંક તરફથી નવો ઓર્ડર આવ્યો છે. ૨૦૦૦ની નોટ બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને અઠવાડિયાના ૭ દિવસ દિવસના ૨૪ કલાક કામ કરવા માટે કહ્યું છે. તમને જણાવી દઈએ કે, ૨૩ મેથી ૨૦૦૦ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં લોકો મોટી માત્રામાં ૨૦૦૦ લઈને બેંકોમાં પહોંચી રહ્યા છે. અડધો દિવસ પણ પૂરો થતો નથી કે બેંકોમાં ૫૦૦ની નોટોની અછત સર્જાઈ છે. હવે તેને સપ્લાય કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને ૨૪ કલાક નોટો છાપવા માટે કહ્યું છે. જ્યારથી ૨૦૦૦ની નોટોનું ચલણ બંધ થયું છે ત્યારથી દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે. નોટ બદલવાના કારણે બેંકોમાં રોકડની અછત જાેવા મળી રહી છે. આવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે ચારેય નોટો છાપનાર પ્રિન્ટિંગ પ્રેસને નોટોનો પુરવઠો પૂરો કરવા માટે દિવસ-રાત કામ કરવા જણાવ્યું છે. જેથી લોકોને પુરતી ૫૦૦ની નોટ મળી શકે. આ સમયે બજારમાં લગભગ ૨૪ હજાર કરોડ એટલે કે ૩ લાખ કરોડ ૨૦૦૦ની નોટો છે. જેને ચલણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, અત્યારે પણ પ્રિન્ટિંગ પ્રેસ પોતાનું શ્રેષ્ઠ આપીને જ કામ કરી રહી છે. પરંતુ આવનારા સમયમાં ૨૦૦૦ની નોટ એક્સચેન્જ માટે પ્રિન્ટિંગ પ્રેસે તેની ઝડપ ૪૦% વધારવી પડશે. જેથી આગામી ૫ મહિનામાં ૨૦૦૦ની નોટ બદલવાનો લક્ષ્યાંક પૂરો કરી શકાય. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૮થી ૨૦૦૦ની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે. હાલમાં રિઝર્વ બેંકનું ધ્યાન માત્ર ૫૦૦ની નોટ છાપવા પર કેન્દ્રિત છે. જાે તમે વિદેશમાં રહેતા હોવ અથવા ત્યાં સ્થાયી થયા હોવ તો ચિંતા કરવાની કોઈ વાત નથી, અમે તમને જણાવી રહ્યા છીએ તે પદ્ધતિ જેના દ્વારા તમે તમારી ૨૦૦૦ રૂપિયાની નોટ સરળતાથી બદલી શકો છો. ચાલો જાણીએ તેની પ્રક્રિયા શું છે. વોઈસ ઓફ બેંકિંગના સ્થાપક અશ્વિની રાણાએ જણાવ્યું કે જે લોકો વિદેશમાં છે અથવા ત્યાં રહેવા જઈ રહ્યા છે, તેઓ તે દેશમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં જઈને તેમની નોટો બદલી શકે છે. જાે તમે આરબીઆઈમાં જવા માંગતા ન હોવ તો પણ તમે તમારી નોટ બદલી શકો છો. ધારો કે તમારું ખાતું ૈંઝ્રૈંઝ્રૈં બેંકમાં છે, તો તમે ૈંઝ્રૈંઝ્રૈં બેંકની વિદેશી શાખામાં જઈને વિદેશમાં તમારી નોટ બદલી શકો છો.
હવે ૫૦૦ રૂપિયાની નોટોની અછત સર્જાઈ

Recent Comments