હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય નેતૃત્વ પર અનેક સવાલો ઉભા કર્યા હતા ..ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નિવેદનો ન કરવા માટેની ચિમકી આપી છે અને જો નિવેદનો કરશે હાર્દિક પટેલનો વિરોધ કરશે.
હાર્દિક પટેલના રાજીનામા થી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે 2017માં હાર્દિક પટેલ પાટીદાર આંદોલન બાદ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા જોકે પાંચ વર્ષ બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પ્રેસ કોંફરન્સ કરીને કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ સામે અનેક સવાલો ઉભા કર્યા હતા ..ત્યારે હાર્દિક પટેલના આક્ષેપ ઉપર ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક પટેલની ચીમકી આપી છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના નેતાઓ આ અંગે કોઇપણ નિવેદન કરતાં પહેલા વિચારીને બોલે જો કોંગ્રેસ પક્ષ અને નેતાઓ વિશે એલફેલ નિવેદન કરશે તો હાર્દિક પટેલ નો કોંગ્રેસ જાહેરમાં વિરોધ કરશે …2017માં હાર્દિક ભાજપ વિરુદ્ધ વિચારધારા ના કારણે કોંગ્રેસમાં જોડાયો હતો તો પાંચ વર્ષ બાદ એવું શું થયું હાર્દિક પટેલ ની વિચારધારા બદલાઈ ગઈ.. વિશ્વનાથ સિંહ વાઘેલાએ હાર્દિક ના આક્ષેપ અંગે કહ્યું કે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ દરમિયાન ક્યારેય ચિકન સેન્ડવીચ મંગાવી નથી હાર્દિકે કરેલા નિવેદનો તથ્યહીન છે…. હાર્દિક પટેલ જે પણ નિવેદનો કર્યા છે તમામ નિવેદનો અને પ્રેસ નોટ તૈયાર કરીને કોઈએ તેને આપી છે …કોંગ્રેસમાં લાખો કાર્યકર્તાઓ અને નેતાઓ ની ફોજ છે હાર્દિકના જવાથી કોંગ્રેસને કોઇ નુકસાન નહિ થાય
Recent Comments