સુરતમાં થયેલા બોટાદના હીરા દલાલના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો છે. અપહરણ કરનાર ચાર આરોપીઓ બોટાદ ન્ઝ્રમ્ના સકંજામાં આવી ગયા છે. બનાવની વાત કરીએ તો ગત ૧ ઓગસ્ટના રોજ સુરતના ડભોલી બ્રિજ પાસેથી બોટાદના હીરાના દલાલનું અપહરણ થયું હતું. ચાર શખ્સોએ હીરાની લેતીદેતીમાં જૂની અદાવતનો ખાર રાખી અપહરણ કર્યું હતું. જેમાં બોટાદ એલસીબીએ આરોપીઓને પકડવા વોચ ગોઠવી હતી. ત્યારે કારમાં અપહરણ કરીને બોટાદ લાવતા સમયે અપહરણ કર્તાઓને સમઢિયાળા પાસેથી ન્ઝ્રમ્એ ઝડપી પાડ્યા હતા અને હીરા દલાલને છોડાવ્યો હતો. પોલીસે અપહરણ કર્તા આરોપી વિનોદ ઉર્ફે વિનું જામફળિયા, મેહુલ કણઝરીયા, વિકાસ કણઝરીયા અને કલ્પેશ ધારીયાની ધરપકડ કરી છે. અપહરણમાં વપરાયેલી કાર સહિત ૨.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બોટાદ ન્ઝ્રમ્એ આરોપીઓને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
હીરા દલાલનાં અપહરણ કેસમાં ૪ આરોપીની ધરપકડહીરાની લેતીદેતીમાં જૂની અદાવતનો ખાર રાખી અપહરણ કર્યું હતું

Recent Comments