હોળીના પવિત્ર તહેવારમાં જે લોકો દારૂ પીને કે નશો કરીને માહોલ બગાડે છે તેઓ હિરણ્યકશ્યપની જાતિના કહેવાય: પ્રેમાનંદ મહારાજ

પ્રેમાનંદજી મહારાજ અનુસાર તહેવાર રંગો, પ્રેમ અને ભાઈચારાનું પર્વ છે. આ દિવસે લોકો હોળી રમે છે અને એકબીજાને ગુલાલ અને રંગ લગાવે છે. હોળીને ખરાબ પર સારાની જીતના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે, પણ ઘણાં લોકો હોળી તો મનાવે છે પરંતુ તે આ દિવસે દારૂ અને નશાનું પણ સેવન કરે છે અને તે પછી સમાજના માહોલને પણ ખરાબ કરવા લાગે છે. અમુક લોકો તો આ દિવસે એકબીજાના ચહેરા પર કાળી શાહી લગાવે છે અને નાળામાં પાડી દે છે. આવા લોકોને હિરણ્યકશ્યપ પ્રજાતિના કહેવાય છે.
વધુમાં પ્રેમાનંદજી મહારાજે કહ્યું હતું કે, હોળી એકબીજાની સાથે પ્રેમથી રમવી જાેઈએ. આ દિવસે તમે એકબીજાને ગુલાલ લગાવો અને ભગવાનને ભોગ લગાવીને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરો. તેમણે સમસ્ત દેશવાસીઓને હોળીના દિવસે કોઈ પણ પ્રકારનો નશો ન કરવાની પણ અપીલ કરી. નશો કોઈ પણ ઉત્સવને ખરાબ કરી શકે છે. આ દિવસે એકબીજાને પ્રેમ ભાવથી ગુલાલ લગાવવો જાેઈએ અને ભગવાનને મીઠાઈથી ભોગ લગાવવો જાેઈએ અને એકસાથે બેસીને ભજન ગાવા જાેઈએ. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે આ દિવસે ભગવાનનું નામ લેતાં હોળીનો આનંદ લેવો જાેઈએ.
Recent Comments