ભાવનગર

૧૦૧- ગારીયાધાર વિધાનસભા મતદાર વિભાગ માટે ચુંટણી નોટીસ જાહેર કરાઇ

૧૦૧ – ગારીયાઘાર મતદાર વિભાગમાં ગુજરાત વિઘાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે. ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યકિત ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ), જિલ્લા પંચાયત કચેરી, પ્રથમ માળ, મોતીબાગ પાસે, ભાવનગરને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને ચીટનીસ ટુ કલેકટર, પ્રથમ માળ, કલેકટર કચેરી, મોતીબાગ, ભાવનગર ખાતે મોડામાં મોડું તા.૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) સુધીમાં કોઈ પણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૩-૦૦ વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ), જિલ્લા પંચાયત કચેરી, પ્રથમ માળ, મોતીબાગ પાસે, ભાવનગરની કચેરી ખાતે તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર) નાં રોજ ૧૧-૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યકિત કે તેનાં ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેચવા અંગેની નોટિસ ઉપરના ફકરા નં.-ર માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા૧૭/૧૧/૨૦૨૨ (ગુરૂવાર) નાં રોજ બપોરના ૩-૦૦ વાગ્યા પહેલા પહોચાડી શકશે. ચૂંટણી લડાશે તો મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ (ગુરૂવાર) નાં રોજ સવારનાં ૦૮-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક વચ્ચે થશે તેમ જણાવાયુ છે.

Related Posts