‘આઝાદી કા અમૃત’ મહોત્સવ અંતર્ગત ‘તિરંગા અભિયાન’ની જળ, સ્થળ અને નભ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે.તે અંતર્ગત ભાવનગરની ૧૦૮ સેવામાં રહેલી તમામ એમ્બ્યુલન્સ વાન પર તિરંગો લહેરાવીને ભારતમાતાને સલામી આપવામાં આવી હતી. ૧૦૮ સેવાના કર્મચારીઓ આકસ્મિક સંજોગોમાં જે રીતે અગ્રેસર બનીને કાર્ય કરે છે. તે જ રીતે ભારત વર્ષના સ્વાધિનતાના આ અમૃત અવસરે પણ તેઓ બઢી-ચઢીને તેમાં જોડાઈ રહ્યાં છે તેનું આ ઉદાહરણ છે.
૧૦૮ ની તમામ એમ્બ્યુલન્સ વાન પર તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી

Recent Comments