ભાવનગર

૧૫-ભાવનગર મતવિસ્તારમાં મતગણતરી અન્વયે “મતગણતરી ટેબલ” સિવાયના કર્મચારીઓની તાલીમ યોજાઈ

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ મતગણતરી યોજાશે. જે કામગીરીમાં ૧૫-ભાવનગર સંસદીય મતવિસ્તારમાં સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે મતગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. જેથી નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી અને નાયબ ચૂંટણી અધિકારીશ્રી આર. એન. ચૌધરીના અધ્યક્ષ સ્થાને “મતગણતરી ટેબલ” સિવાયની કામગીરી માટે સંકળાયેલા સ્ટાફની તાલીમ યોજાઇ હતી.
તાલીમમાં નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ તકે વિવિધ વિભાગના તાલીમ સાથે સંકળાયેલા ભાવનગર અને બોટાદ જિલ્લાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts