અમરેલી

૧૮૮૯ ની સાલના અરસામાં સર શ્રી દામાજીરાવ ગાયકવાડ સરકારે બનાવેલ તસ્વીરમાં દેખાતી ઈમારતો ની હાલત,વર્તમાન સરકારી તંત્રની ઘોર બેદરકારીને કારણે ખંડેર બની રહી છે

અમરેલી કલેકટર આ જુઓ અને વાંચો…!!!    ૧૮૮૯ ની સાલના અરસામાં સર શ્રી દામાજીરાવ ગાયકવાડ સરકારે બનાવેલ તસ્વીરમાં દેખાતી ઈમારતો ની હાલત,વર્તમાન સરકારી તંત્રની ઘોર બેદરકારીને કારણે ખંડેર બની રહી છે. આઝાદી પહેલાં એટલે કે ૧૩૦ વર્ષ પહેલાં તે સમયના પ્રજા વત્સલ રાજવી સર શ્રી દામાજીરાવ ગાયકવાડ સરકારે નાગરિકોના વ્યવહારુ કામો સરળતાથી અને કોઈપણ જાતની મુશ્કેલીઓ વગર થાય એવા સારા હેતુ થી અમરેલી જીલ્લાના દામનગર ગામમાં મધ્યમાં ત્રણ ઈમારતો બનાવેલ તેનો વર્ષો સુધી ઉપયોગ કરાયેલ,સમયની ગતી ન્યારી છે તેમ વસ્તી વધતા અને સરકારી કામોમાં વધારો થતાં,

આ ત્રણેય કચેરીઓ નાયબ મામલતદાર,પોલીસ સ્ટેશન,ગ્રામ પંચાયત કચેરીઓના મકાનો અલગ – અલગ વિસ્તારોમાં બિલ્ડિંગો બનતા,ઘણા સમય થી કાર્યરત છે. બીજી બાજુ ૧૩૦ વર્ષ જૂની ઈમારત ના.કા. ઈ.શ્રી મા.મ.પે. વિ. નં.૨ અમરેલી હસ્તક છે એવું બોર્ડ મૂકેલું છે…પણ જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે આ ભવ્ય અને સંકૃતીની ધરોહરોની આ ઈમારતોની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે.બારી – બારણા અને અને કિંમતી વસ્તુઓ ગાયબ થઈ જવાને કારણે અને રેઢું પડ થવાથી ડરામણી જોવા મળે છે.પાછળના ભાગે સરકારી ક્વાટર ( વસાહત ) ની હાલત તો વધુ ખરાબ છે.વિકાસની વાતો કરતા વર્તમાન શાસકો,ધારાસભ્ય,સાંસદ.જીલ્લા પંચાયતના સત્તાધીશો અને કલેકટર તેમજ લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ આ ઈમારતો પ્રત્યે જો વધુ બેદરકાર રહેશે તો આ સ્થળ અસામાજીક તત્વોનો અડ્ડો બની શકે છે..!!?  બાહોશ અને નિષ્ઠાવાન કલેકટર આ બાબતે ગંભીર બની આ સ્થળની મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે. 

Related Posts