ભાવનગર

૨૦૦ ગ્રામ્ય બહેનોને રુ.૬. લાખ ની શૈક્ષણિક સહાય

ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે ગ્રામ શાળાઓની હોસ્ટેલમાં રહીને શિક્ષણ લેતી ૨૦૦ વિધાર્થીઓને રૂ.૬ લાખની શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવશે.  

બહેનો શિક્ષિત રહે , સ્વ-આવડતથી આત્મનિર્ભર રહે તેવા ઉદેશ્ય થી વર્ષ ૨૦૦૦ થી પ્રારંભાયેલ શ્રી હિરાબહેન ભટ્ટ મહિલા સશક્તિકરણ કાર્યક્ર્મ અંતગર્ત તારીખ ૨૨ જૂને ગાંધી વિચારશરણીથી  કાર્ય કરતી નઈ તાલીમની ૧૦ શાળાઓની બહેનોને પ્રત્યેકને રૂ. ૩૦૦૦/- ની વિદ્યોતેજક સહાય આપશે………  

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના કુલપતિ પ્રા.ડો.ભદ્રાયુભાઈ વછરાજાની તથા શહેર ધારાસભ્ય શ્રી સેજલબહેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં શિશુવિહાર પરિસરમાં સવારે ૧૧ વાગે યોજાનાર સમારોહ  સાથે પ્લાસ્ટિક વેસ્ટના સર્જનાત્મક ઉપયોગ અંગે પ્રદર્શન યોજાનાર છે.   જેમાં ઉતમ દેખાવ કરનાર ઉપસ્થિત ગ્રામ શાળાઓને પુરસ્કાર એનાયત થશે…….. 

ધોરણ ૧૦,૧૨ અને સ્નાતક – અનુસ્નાતકના વર્ષમાં કોઈ દીકરી પૈસાના અભાવે શિક્ષણ કાર્યથી વંચિત ન રહે તે માટેના શિશુવિહાર સંસ્થાના પ્રયત્નોમાં દાતાશ્રીઓનો સહકાર મળતા છેલ્લા ૨૩ વર્ષમાં રૂ .૬૧ લાખની માતબર રકમ ગરીબ બહેનોને શિક્ષણ    અને સ્વાવલંબન હેતુ માટે પહોચડવામાં આવી છે, જે નોંધનીય બની છે….

ભાવનગરના વતની શ્રી વંદનાબહેન મુકેશભાઇ ભટ્ટના સૌજન્ય થી વર્ષ ૨૦૨૩ ના પ્રથમ સત્રમાં અપાનાર રૂ .૬  લાખની શૈક્ષણિક સહાય ભાવનગરની સેવા સુવાસ વિસ્તારે છે………….

Related Posts