GST પ્રણાલીમાં ફેરફારની અપેક્ષા રાખતા કરદાતાઓને કોઈ રાહત મળે તેમ લાગતું નથી. વાસ્તવમાં, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે ભારત આગામી નાણાકીય વર્ષમાં તેની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરશે નહીં. તમને જણાવી દઈએ કે ટેક્સ માળખાને સરળ બનાવવા અને ગ્રાહકો પરનો બોજ ઘટાડવા માટે એક વર્ષથી વધુ સમયથી ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. હાલમાં સમગ્ર દેશમાં ય્જી્ માટે ૦ ટકાથી ૨૮ ટકા સુધીના પાંચ ટેક્સ દર લાગુ છે. જે વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવ્યા હતા. ૨૦૨૧ માં, સરકારે ય્જી્ના ૨ કર દરોને મર્જ કરીને, ય્છઝ્ર્ દરો અંગેની ટીકાને કારણે, ઘણી વસ્તુઓ પર લાગુ થતા દરોને ઘટાડીને કર સુધારણાની વિચારણા કરી હતી.
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અત્યારે અમે કરના દરોમાં સ્થિરતા જાળવવા માગીએ છીએ. તેમણે કહ્યું કે નાના ફેરફારો હંમેશા થશે, પરંતુ અમે ૨૦૨૩/૨૪માં ય્જી્ ટેક્સના દરોને મર્જ કરવા જેવા કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા નથી. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે સરકાર આખરે ટેક્સ બેન્ડ ઓછી રાખવા માંગશે, પરંતુ સમયરેખા આપી નથી. નીચા દરો માટે ચોક્કસપણે લક્ષ્ય છે અને ટેક્સ સ્લેબ ઘટાડવાનો અવકાશ હોઈ શકે છે. આ થોડા સમયમાં થઈ શકે છે, પરંતુ હમણાં નહીં. ભારત સરકાર કસ્ટમ ડ્યુટી માટે પણ તેના કરવેરા માળખાને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આગળ જતાં, અમે ઈચ્છીએ છીએ કે કસ્ટમ દરો પણ નીચે આવે.
Recent Comments