રાષ્ટ્રીય

૨૧, જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે, યોગ દિવસે તાજમહેલ સહિતના તમામ સ્મારકોમાં મફત પ્રવેશ

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ ૨૧ જૂને તમામ સ્મારકોમાં મફત પ્રવેશ માટેનો આદેશ જારી કર્યો છે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રવાસીઓ તાજમહેલ, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સીકરી સહિત તમામ છજીૈં સંરક્ષિત સ્મારકોમાં મફતમાં પ્રવેશ કરી શકશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ ૨૧ જૂને તમામ સ્મારકોમાં મફત પ્રવેશ માટેનો આદેશ જારી કર્યો છે. આગ્રા સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ્‌ ડૉ. રાજકુમાર પટેલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સ્મારકોને વિનામૂલ્યે એન્ટ્રીની જાહેરાત કરી હતી. તાજમહેલ સહિત તમામ ઐતિહાસિક સ્મારકો ફક્ત ૧૮ એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ અને ૧૯ નવેમ્બરના રોજ વિશ્વ ધરોહર સપ્તાહના પ્રથમ દિવસે અને ૮ માર્ચે મહિલા દિવસ પર મફત એન્ટ્રી મળતી હતી. આ પ્રથમ વખત છે કે યોગ દિવસ પર સ્મારકોમાં પ્રવાસીઓને મફત પ્રવેશ આપવામાં આવ્યો છે. ભારત સહિત વિશ્વભરમાં ૨૧ જૂને યોગ દિવસને તહેવાર ઊજવવામાં આવે છે. ૨૧ જૂન ની એક વિશેષતા એ છે કે એ વર્ષના દિવસોમાં સૌથી લાંબો દિવસ હોય છે અને યોગના નિરંતર અભ્યાસથી વ્યક્તિને લાંબું જીવન મળે છે. એટલે આ દિવસે યોગ દિવસના રૂપમાં ઊજવવાનો ર્નિણય કર્યો હતો. નિયમિત યોગ કરવાથી મન અને તનનો વિકાસ થાય છે અને ઘણા શારીરિક ફાયદા થાય છે.

કોઈ તાલીમ પામેલા યોગ શિક્ષકની પાસે યોગ શીખવા અને તેની નિયમિત પ્રેક્ટીસ કરવી ખુબ જરૂરી છે. કોઈ રોગ થયેલો હોઈ તો ડોક્ટર અને યોગ શિક્ષકની સલાહ ખુબ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી થઈ હતી. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, તેમણે યોગનો ઉલ્લેખ કરતા સાથે મળીને યોગ કરવાની વાત કરી હતી. જે પછી ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેરાત કરી કે તે ૨૧ જૂને યોજાશે. ત્યારબાદ ૨૦૧૫થી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જાે કે યોગ કોઈપણ દિવસે કરી શકાય છે, પરંતુ દરેકને એક સાથે જાેડવા માટે ૨૧ જૂન નક્કી કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસ માટે આ તારીખ પસંદ કરવાનું એક ખાસ કારણ પણ છે. વાસ્તવમાં ૨૧મી જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સૂર્ય વહેલો ઉગે છે અને મોડો આથમે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યની તેજ સૌથી વધુ અસરકારક હોય છે, અને પ્રકૃતિની સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ૮મી આવૃત્તિ આયુષ મંત્રાલય દ્વારા મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગા સાથે મળીને અનેક કાર્યક્રમો દ્વારા પ્રમોટ કરવામાં આવી રહી છે. પ્રથમ વખત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે, તે ૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૨ના રોજ ૭૫ હેરિટેજ અને વારસાને ઉજાગર કરતાં સ્થળો પર યોગનું પ્રદર્શન કરવામાં આવશે. ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે ઉજવવામાં આવશે. કોવિડ-૧૯ મહામારી જેવા કપરા સમયમાં યોગથી લોકોને ઊર્જાવાન રહેવા અને મજબૂત રોગપ્રતિકારક શક્તિને ટકાવી રાખવામાં મદદ મળી છે.

આયુષ મંત્રાલય ૧૫મી ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા પર સામાન્ય યોગની નવીનતાઓને પ્રદર્શિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. યોગ દિવસ વિશે જાગૃતિ ફેલાવવા માટે યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેનાર સંસ્થા/લોકોને યોગ ટી-શર્ટ, યોગા મેટ અને યોગ પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ૮મી આવૃત્તિમાં ઘણી બધી પહેલો જાેવા મળશે, તેમાંથી એક “ગાર્ડિયન રિંગ” નામનો એક નવીન કાર્યક્રમ પણ હશે. તે સૂર્યની ગતિ બતાવશે, પૂર્વથી શરૂ થઈને પશ્ચિમ તરફ આગળ વધશે, વિવિધ દેશોમાંથી સૂર્યની ગતિ સાથે યોગ કરતા લોકો ભાગ લેશે. દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૮મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. દર વર્ષે આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે. યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહત્વનું છે કે ભારત આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભારતમાં મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts