ગુજરાત

૨૬ વર્ષના સીએ નમનનો ચમત્કારિક બચાવ

એપિક હોસ્પિટલના પલ્મનોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. અજય જૈને કહ્યું, “નમનનો કેસ ટેક્સ્ટ બુક કેસ છે કારણકે આમાં બધું જ ખોટું થયું હતું. તેને ફંગલ અને બેક્ટેરિયલ સહિતના મલ્ટીપલ સેકન્ડરી ઈન્ફેક્શન હતા, ત્રણવાર તેના ફેફસામાં પંક્ચર થયું હતું અને તેના ફેફસાના બહારના લેયરમાં ગંભીર રીતે અસર થતાં લેપ્રોસ્કોપી કરીને એ ભાગ કાઢવો પણ પડ્યો હતો. ઓગસ્ટ સુધીમાં તેને ગુલિયન બેરે સિન્ડ્રોમની અસર થઈ હતી. આ એવી સ્થિતિ છે જેમાં રોગપ્રતિકારક શક્તિ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે અને સ્નાયુઓને નબળા અને બહેરા બનાવી દે છે.”નમનનો પરિવાર આ સમયગાળામાં તેની પડખે ખડેપગે રહ્યો હતો.

મુશ્કેલમાં મુશ્કેલ મેડિકલ પ્રોસિજર માટે તેના પરિવારે હામી ભરી હતી. “આ જર્ની ખૂબ પીડાદાયક અને મુશ્કેલ રહી છે. પરંતુ શરૂઆતથી જ મેં મારી જાતને સમજાવી લીધી હતી કે, હોસ્પિટલમાં લાંબો સમય કાઢવાનો છે. મેં હોસ્પિટલના દિવસો ના ગણ્યા કે મારી સ્થિતિ વિશે કોઈ ફરિયાદ ના કરી. મને ઈશ્વર અને તબીબોમાં વિશ્વાસ હતો. આ ઘટના બાદ હું મારા માતાપિતાની વધુ નજીક આવ્યો છું. તેઓ એપ્રિલ મહિનાથી મારી સાથે અને હું જલદી સાજાે થાઉં તેની પ્રાર્થના કરી રહ્યા છે. હું બધાને એક જ સંદેશ આપવા માગુ છું કે કોરોનાને હળવાશમાં ના લેશો. જાે કોરોના નહીં તો આવનારા વર્ષોમાં બીજું કંઈક આવશે પણ તમે સાવધાની રાખવાનું ના ભૂલશો. હાઈજિનના નિયમો પાળો અને થોડો વધુ સમય સંયમ જાળવો”, તેમ નમને કહ્યું.કોરોના મહામારી દરમિયાન એવા ઘણાં દર્દીઓના કિસ્સા જાેયા કે સાંભળ્યા હશે જેઓ રિકવર થઈ રહ્યા હોય અને એકાએક તેમની તબિયત લથડી જાય અને ત્યાર પછી ચમત્કાર સમાન ઘટના બને ને તેઓ મોતની અણીએથી પાછા ફરે.

૨૬ વર્ષીય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ નમન મહેશ્વરીનો કેસ પણ આવો જ છે. નમનનો કેસ અભ્યાસક્રમમાં સમાવી શકાય તેવો છે કે, કેવી રીતે એક કોરોનાના દર્દીના શરીરમાં અસંખ્ય કોમ્પ્લિકેશન ઊભા થાય છે અને ચમત્કારિક રીતે તે સાજાે થઈ જાય છે. નમન મહેશ્વરીએ અડધું વર્ષ હોસ્પિટલના બિછાને વિતાવ્યું છે. ચોક્કસ દિવસો કહીએ તો રવિવાર સુધી ૧૫૫ દિવસ હોસ્પિટલમાં કાઢ્યા છે અને હવે તે પોતાની ગાથા કહેવા તૈયાર છે. જિજીવિષા દ્વારા રાજસ્થાનના આ યુવકે કોરોનાના લગભગ દરેક જાણીતા કોમ્પ્લિકેશનને મ્હાત આપી છે અને હવે તે બોલવા-ચાલવા લાગ્યો છે. ટૂંક સમયમાં જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને ઘરે મોકલી દેવાશે. નમન મહેશ્વરી બે સાયટોકાઇન સ્ટોર્મ, ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયેલા ફેફસામાં પડેલા ત્રણ કાણાં અને સેકન્ડરી ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાંથી ઉગર્યો છે. એટલું જ નહીં નમન ગંભીર ગણાતાં ગુલિયન બેરે સિન્ડ્રોમ (રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને તે શરીરના સારાં કોષો અને ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે)નો પણ ભોગ બન્યો હતો. નમને ચાર મહિના આઈસીયુમાં કાઢ્યા છે અને તેમાંથી ત્રણ મહિના તો તે વેન્ટિલેટર પર હતો.

નમનના મમ્મી સુનિતાએ દીકરાની માંદગીના શરૂઆતના દિવસો યાદ કરતાં કહ્યું કે, તાવ અને શરીરના દુખાવાથી યાતનાની શરૂઆત થઈ હતી. “૨૩ એપ્રિલે નમન અને તેના દાદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી એટલે તેને ઉદયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલત ખરાબ થતાં તેને અમદાવાદ લવાયો હતો”, તેમ સુનિતાએ જણાવ્યું. નમન તેમનો એકનો એક દીકરો છે અને તેઓ ૨૮ એપ્રિલથી તેની પાસે એપિક હોસ્પિટલમાં ખડેપગે હતા. મે મહિનાની શરૂઆતમાં નમન સાઈટોકાઈન સ્ટોર્મની ઝપેટમાં આવ્યો હતો અને તેને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. બીજા મહિને સાઈટોકાઈન સ્ટોર્મનો ઉથલો આવ્યો હતો. આ સ્થિતિ ઘણાં માટે જીવલેણ સાબિત થઈ છે પરંતુ નમન બચી ગયો. એકંદરે નમને ચાર મહિના આઈસીયુમાં અને ત્રણ મહિનાથી વધારે સમય વેન્ટિલેટર પર હતો. નમનની આ સ્થિતિના કારણે તેના ગળામાં નળી નાખવામાં આવી હતી જેથી તેને પ્રવાહી ભોજન આપી શકાય. હજી પણ નમનને ઓક્સિજનની જરૂર પડે છે પરંતુ તે પોતાની જાતે હરીફરી શકે છે, મોં વાટે જમી શકે છે અને મર્યાદિત સમય સુધી વાતો કરી શકે છે.

Related Posts