ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં પધારતા સુપ્રસિધ્ધ તીર્થધામ અયોધ્યાપુરમ્ (વલ્લભીપુર) શ્રી આદીનાથ ભગવાન મંદિ૨મા સ્વપ્નદ્રષ્ટા અને પ્રણેતા કે જેઓએ એક લાખ કિલોમીટરથી વધુ પદયાત્રા કરેલ છે તેવા ૫૨મ્ વંદનીય જૈનાચાર્યશ્રી જીનચંદ્રસાગરસુરીશ્વરજી મ. સા. (મહારાજશ્રી) તા.૧૨.૦૫.૨૦૨૩ ને શુક્રવારનાં રોજ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. મહારાજશ્રી સવારનાં દસ કલાકથી સાંજના પાંચ કલાક સુધી હોસ્પિટલનાં વિશ્રાંતિભવનમાં વિશ્રામ કર્યા હતા. બ્ર.પ.પૂ. સદ્ગુરૂદેવનાં સેવાકાર્યથી ખુબજ પ્રભાવિત મહારાજશ્રીએ હોસ્પિટલમાં ચાલતા સેવાકાર્યની વિસ્તૃત માહિતી મેળવીને ખૂબજ પ્રસન્નતા વ્યકત કરીને આ હોસ્પિટલ દર્દી નારાયણની સેવાસુશ્રૃષામાં નિરંતર સફળતા પ્રાપ્ત કરે તેવા આશીર્વચન પાઠવ્યાં હતા. તેઓશ્રીનું હોસ્પિટલની ઓફીસમાં વંદન અર્ચના કર્યા બાદ હોસ્પિટલનાં મંત્રી-બી.એલ.રાજપરા અને ટ્રસ્ટી-પરેશભાઇ ડોડીયા દ્વારા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને શુભાશિષ પ્રાપ્ત કર્યા હતા.
૫૨મ્ વંદનીય જૈનાચાર્ય જીનચંદ્રસાગરસુરીશ્વરજી મ. સા. ની માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ પધરામણી

Recent Comments