અમરેલી

૭૦૦ દર્દીઓને વિનામૂલ્યે પ્રાણવાયુ ઓકિસજનની સેવા પુરી પાડતા : પરેશ ધાનાણીની ટીમ

તા. રપ/૦૪/ર૦ર૧ થી ૦૬/૦પ/ર૦ર૧ સુધીમાં વિરોધપક્ષના નેતા અને અમરેલીના કોંગ્રેસના ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીના માર્ગદર્શન નીચે પરિવર્તન ટ્રસ્ટ – અમરેલી ની ટીમ દ્વારા અમરેલી, કુંકાવાવ,વડીયા, ચિતલ, લુણીધાર ગામે થી જુદાં–જુદાં વિસ્તારના લોકોને સરળતાથી વિનામૂલ્યે ઓકિસજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને તા. ૦૬/૦પ/ર૦ર૧ સુધીમાં ૭૦૦ ઓકિસજનની બોટલો દર્દીઓને વિનામૂલ્યે આપી એક ભગીરથ પ્રાણવાયુ સેવાયજ્ઞ અવિરત શરૂ છે, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય  અમરેલી થી સુંદર મજાના આયોજનથી લોકોને સરળતાથી ઓકિસજન સિલિન્ડર પુરી પાડવાની વ્યવસ્થા ઉભી  કરવામાં આવી છે

Related Posts