બોલિવૂડ

૯૦ના દસકામાં અંડરવર્લ્ડની પાર્ટીઓમાં આમિર ખાન હાજરી આપતા ન હતા

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ સફળ એક્ટરમાં આમિરખાનનો સમાવેશ થાય છે. દાયકાઓથી આમિર ખાન સિલ્વર સ્ક્રિન પર રાજ કરે છે. ગજની, તારેં ઝમીન પર, પી.કે. દંગલ જેવી અનેક આઈકોનિક ફિલ્મો આમિરે આપી છે. પ્રોડ્યુસર મહાવીર જૈને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ૯૦ના દસકામાં અંડરવર્લ્ડની પાર્ટીઓમાં આમિર ખાન હાજરી આપતા ન હતા અને તેના કારણે આમિરનો જીવ જાેખમમાં મૂકાયો હતો. આમિર ખાનને પાર્ટી કે એવોર્ડ ફંક્શનમાં જવાનું મતું નથી. તેઓ પોતાની રીતે જીવનને માણવા માગે છે. તેઓ પોતાની અંગત બાબતો જાહેરમાં ન આવે તેની કાળજી રાખે છે. જાહેરમાં તેઓ ક્યારેય જરૂર કરતાં વધારે બોલતા નથી. શરમાળ અને અંતર્મુખી આમિર ખાનની વધુ એક ખાસિયત અંગે પ્રોડ્યુસર મહાવીર જૈને માહિતી આપી છે. તેમમે જણાવ્યું હતું કે, ૯૦ના દસકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર બોલિવૂડનું રાજ હતું. મિડલ ઈસ્ટમાં પાર્ટીનું આમંત્રણ મળે તો દરેક ફિલ્મ સ્ટારે તેનો સ્વીકાર કરવો પડતો. જાેકે આમિર ખાન ક્યારેય આવી પાર્ટીમાં જતા નહીં. તેઓ સિદ્ધાંતોના માણસ છે. આ કારણથી તેમનું જીવન જાેખમમાં મૂકાયુ હતું. આમિરખાને ફિલ્મો ઉપરાંત ટીવીમાં પણ કામ કર્યું છે. આમિર ખાનનો ટીવી શો સત્યમેવ જયતે ખૂબ સફળ રહ્યો હતો. સંવેદનશીલ વિષયોને રજૂ કરતાં આ શોમાં આમિર ખાનની ખૂબ પ્રશંસા થઈ હતી. મહાવીર જૈને કહ્યું હતું કે, આમિર ખાને ત્રણ વર્ષ સુધી ૪-૫ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ અટકાવી દીધા હતા. તેઓ માનતા હતા કે, સત્યમેવ જયતે સિરિયસ શો છે અને એડમાં તેમના દેખાવાથી શોને અસર પહોંચશે. શોની ગંભીરતા ઘટશે તેવું લાગતા તેમણે આ એન્ડોર્સમેન્ટ જવા દીધા હતા. બોક્સઓફિસ પર લાલસિંહ ચઢ્ઢાની નિષ્ફળતા પછી આમિર ખાન પાછલા કેટલાક સમયથી બ્રેક લઈ રહ્યા છે. તેઓ એક્ટિંગના બદલે હવે ફિલ્મના પ્રોડક્શન પર ધ્યાન આપવા માગે છે. આમિર ખાન કમબેક માટે સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યા છે. દરમિયાન તેમની પર્સનલ લાઈફ પણ હાલ ચર્ચામાં છે. દંગલની કો-સ્ટાર ફાતિમા સના શેખ સાથે આમિર ખાન લગ્ન કરી રહ્યા હોવાનું કહેવાય છે. આમિર ખાને આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

Related Posts