અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં હાલ અવસર રથ ફરી રહ્યા છે, અવસર રથના માધ્યમથી મતદાન માટે જાગૃત્તિ આવે તે પ્રયાસ કરવામાં આવે છે. ૯૭-સાવરકુંડલા વિધાનસભાના રુટ મુજબના ગામોમાં અવસર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
૯૭-સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તારમાં અવસર રથનું આગમન: વધુમાં વધુ મતદાન માટે જાગૃત્તિ જરુરી

Recent Comments