વર્ષ ૨૦૨૫-૨૬ માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા વેરા વળતરની સ્કીમ/યોજના તા.૧૫ જૂને પૂરી થઈ હતી જેમાં મનપા. ની આ યોજનાનો ૧.૭૭ લાખ લોકોએ લાભ લીધો જેના દ્વારા કોર્પોરેશનને ૧૫૬.૮૧ કરોડની આવક થઈ છે. કોર્પોરેશન દ્વારા એડવાન્સમાં વેરો ભરવા બદલ લોકોને ૯.૬૦ કરોડનું વળતર અપાયું છે. ૧.૭૭ લાખ લોકોમાંથી ૧.૨૮ લાખ લોકોએ ઓનલાઇન અને ૪૯,૦૦૦ લોકોએ ઓફલાઈન વેરો ભરેલો છે. આ યોજના તા.૨૩ એપ્રિલથી અમલમાં મૂકી હતી.
આ યોજનામાં રહેણાક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ ૧૦% અને કોમર્શિયલ મિલકતમાં ૫% વળતર અપાયું હતું. ઓનલાઈન વેરો ભરવા બદલ એક ટકો વધુ વળતર આપવાનું હોવાથી લોકોએ તેનો વધુ લાભ લીધો છે. ઓનલાઇન વેરો ભરપાઈ થતાં કોર્પોરેશનને ૧૧૭.૨૭ કરોડ અને ઓફલાઈન વેરો ભરવા બદલ ૩૯.૫૪ કરોડ આવક થઈ છે. મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર, કંઝરવંશી અને સુવરેજ ટેક્સની રકમ પર વળતર અપાયું છે. શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે ૮.૪૦ લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક ૮૦૭ કરોડ છે જેની સામે આ યોજના હેઠળ ૧૫૬.૮૧ કરોડની આવક થઈ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ વેરા વળતર યોજનામાં ૧.૭૭ લાખ લોકોએ લાભ લીધો છે. જેના દ્વારા કોર્પોરેશનને ૧૫૬.૮૧ કરોડની આવક થઈ

Recent Comments