રાષ્ટ્રીય

જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત ૧૦ મહત્ત્વપૂર્ણ બાબતો

કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી સુપર કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ર્નિણય અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી. જે સ્પષ્ટપણે સંકેત આપે છે કે, તેઓ રાજકીય લાભ માટે જાતિ આધારિત જ વસ્તી ગણતરીનો ઉપયોગ કરે છે.
કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય
રાજકીય બાબતોની કેબિનેટ કમિટી સુપર કેબિનેટ તરીકે ઓળખાય છે. કારણકે, તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય છે. ઝ્રઝ્રઁછના વર્તમાન સભ્યોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી ર્નિમલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સામેલ છે.

જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત ૧૦ મહત્ત્વપૂર્ણ બાબતો:-
૧. સમાજની વસ્તી ગણતરીની કરવી, તેનું વર્ણન કરવું, એ સમજવું કે લોકો ક્યા સુધી પહોંચ્યા છે એટલે કે શું ઉપલબ્ધ કર્યું અને કઈ વસ્તુઓથી વંચિત છે. આ જાણવું માત્ર સામાજિક વિજ્ઞાનિકો માટે નહીં પરંતુ નીતિ નિર્માતાઓ અને સરકાર માટે પણ જરુરી છે.
૨. એટલા માટે વસ્તી ગણતરી એ એક પ્રકારની પ્રક્રિયા છે. જાેકે, વસ્તી ગણતરીના ટીકાકારોનું માનવું છે કે, સામાજિક માળખાને સંપૂર્ણ રીતે સમજવા માટે જાતિ વસ્તી ગણતરી નિયમિતપણે હાથ ધરવામાં આવવી જાેઈએ.
૩. સૌથી પહેલા જાતિ આધારિત વસ્તી ગણતરી સામાજિક- આર્થિક અને જાતિ ગણતરી (જીઈઝ્રઝ્ર) તરીકે ૧૯૩૧ માં હાથ ધરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને તેનું જાતિનું નામ પૂછવાનું હતો, જેથી સરકાર પુન:મૂલ્યાંકન કરી શકે કે, કયા જાતિ જૂથો આર્થિક રીતે સૌથી ખરાબ હતા અને કયા વધુ સારા હતા.
૪. જાતિગત વસ્તી ગણતરીનો હેતુ માત્ર અનામતનો મુદ્દો જ નથી, પરંતુ જાતિગત વસ્તી ગણતરી મોટી સંખ્યામાં એવા મુદ્દાઓને સામે લાવશે, કે જેના પર કોઈપણ લોકશાહી દેશે ધ્યાન આપવું જરૂર છે, ખાસ કરીને એ લોકોની સંખ્યા હાંસિયામાં ધકેલાઈ ગઈ છે, અથવા તો જે વંચિત છે અથવા તેઓ કયા પ્રકારનો વ્યવસાય કરે છે. તેનાથી વધુ સારી નીતિઓ અને વ્યૂહરચના બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત સંવેદનશીલ મુદ્દાઓ પર વધુ તર્કસંગત ચર્ચા પણ થઈ શકે છે.
૫. જાે કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ધર્મો અને ભાષાકીય પ્રોફાઇલ માટે વસ્તી ગણતરીના આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે, પરંતુ ૧૯૩૧ પછીથી ભારતમાં બધી જાતિઓનું પ્રોફાઇલિંગ કરવામાં નથી આવી.
૬. આઝાદી પછી થયેલી બધી વસ્તી ગણતરીઓમાં જાતિઓની ગણતરી ક્યારેય કરવામાં આવી નથી.
૭. જાેકે, ૨૦૧૦ માં તત્કાલીન વડાપ્રધાન, સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહે લોકસભામાં ખાતરી આપી હતી કે, કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરી પર વિચાર કરવામાં આવશે. એ પછી એક કેબિનેટ જૂથની પણ રચના કરવામાં આવી. એ પછી પણ સરકારે જાતિ વસ્તી ગણતરીને બદલે માત્ર જીઈઝ્રઝ્ર સર્વે કર્યો હતા.
૮. આ સર્વેનો મુખ્ય ડેટા જાહેર કરવામાં નથી આવ્યા કાં તો બહાર પાડવામાં આવ્યા નથી અથવા માત્ર કેટલાક ભાગોમાં જ જારી કરવામાં આવ્યા છે.
૯. સુપ્રીમ કોર્ટે ઘણી વખત સરકારોને જાતિઓ સંબંધિત ડેટા આપવા કહ્યું છે, પરંતુ આંકડા ઉપલબ્ધ ન હોવાને કારણે આ શક્ય ન બન્યું.
૧૦. વસ્તી ગણતરીના વિષય બંધારણના અનુચ્છેદ ૧૪૬ ની કેન્દ્રિય યાદીના ક્રમાંક ૬૯ માં છે અને તે એક કેન્દ્રીય વિષય છે. જાેકે, ઘણા રાજ્યોએ સર્વે દ્વારા જાતિઓની ગણતરી કરી છે.

Related Posts