ઑસ્ટ્રિયાની એક શાળામાં થયેલા ગોળીબારમાં વિદ્યાર્થીઓ અને એક પુખ્ત વયના સહિત ૧૦ લોકોના મોત થયાના અહેવાલ છે. સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે કે ઓછામાં ઓછા નવ વિદ્યાર્થીઓ માર્યા ગયા છે. પીડિતોમાં શંકાસ્પદ ગોળીબાર કરનારનો પણ સમાવેશ થાય છે, જેણે ઘટના પછી આત્મહત્યા કરી લીધી હતી.
મંગળવારે ગ્રાઝ શહેરમાં મ્ર્ંઇય્ ડ્રેઇર્સચ્યુત્ઝેંગાસે સ્કૂલમાં ગોળીબાર થયો હતો.
હુમલા બાદ, ગ્રાઝ સ્કૂલ ખાલી કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને નજીકના હેલ્મુટ લિસ્ટ હોલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને રેડ ક્રોસ તરફથી સારવાર આપવામાં આવી હતી.
આ ઘટનાને કારણે પોલીસ અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો અને જાહેર પરિવહનને અન્યત્ર વાળ્યું હતું.
સ્થાનિક અહેવાલો મુજબ, ગોળીબાર સવારે ૧૦ વાગ્યે શરૂ થયો હતો. શાળામાં ગોળીબારના અવાજાે સંભળાયા બાદ, લોકોને વિસ્તારથી દૂર રહેવા અને ઘરની અંદર આશરો લેવાની સલાહ આપવામાં આવી હતી.
મેયર એલ્કે કાહર (દ્ભઁઙ્ખ) ને ટાંકીને, ઑસ્ટ્રિયન પ્રેસ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ગ્રાઝ સ્કૂલમાં થયેલા હુમલામાં ૧૦ લોકો માર્યા ગયા હતા. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ અને એક પુખ્ત વયના હતા, જે કદાચ સ્કૂલમાં શિક્ષક હતા. મૃતકોમાં શંકાસ્પદ વ્યક્તિ પણ હતો.
ઑસ્ટ્રિયન રાજ્ય મીડિયા સૂત્રો એ અહેવાલ આપ્યો છે કે શંકાસ્પદ ગોળીબાર કરનાર વ્યક્તિ શાળાનો વિદ્યાર્થી હોવાનું માનવામાં આવે છે. શંકાસ્પદ વ્યક્તિએ શાળાના શૌચાલયમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે.
ગ્રાઝ જઈ રહેલા ઑસ્ટ્રિયન ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરે શાળામાં ગોળીબારને “એક રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી જે આપણા સમગ્ર દેશને ઊંડો આઘાત આપે છે.”
“આપણે બધા – આખું ઑસ્ટ્રિયા – જે પીડા અને દુ:ખ અનુભવીએ છીએ તેના માટે કોઈ શબ્દો નથી,” તેમણે ઠ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં લખ્યું. “ઈંય્ટ્ઠિડ માં ગોળીબારના સમાચારથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. તે અગમ્ય અને અસહ્ય છે. મારી સહાનુભૂતિ અને દુ:ખ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે છે. કોઈ પણ આ દુ:ખની કલ્પના કરી શકતું નથી; ત્રણ બાળકોની માતા તરીકે, તે મારું હૃદય તોડી નાખે છે,” ઑસ્ટ્રિયન વિદેશ પ્રધાન બીટ મેઈનલ-રાઇઝિંગરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બ્લુસ્કાય પર જણાવ્યું.
ઈેં ના ટોચના રાજદ્વારી કાજા કલ્લાસે જણાવ્યું હતું કે ગોળીબારના અહેવાલો સાંભળીને તેમને “ખૂબ જ આઘાત” લાગ્યો હતો. “દરેક બાળકે શાળામાં સલામત અનુભવવું જાેઈએ અને ભય અને હિંસાથી મુક્ત રહીને શીખવું જાેઈએ,” કલ્લાસે ઠ પર પોસ્ટ કરી.
“આ અંધકારમય ક્ષણમાં મારા વિચારો પીડિતો, તેમના પરિવારો અને ઑસ્ટ્રિયન લોકો સાથે છે,” તેણીએ આગળ ઉમેર્યું.
Recent Comments