અમરેલી

સાવરકુંડલાના રામગઢ ગામે  લાખાણી પરિવાર દ્વારા ૧૦૧ વર્ષના દિવાળીબાનુ જીવતા જગતિયું કરવામાં આવ્યું

મોટેભાગે લોકો પોતાના સ્વજનોના મોક્ષાર્થે તેના મૃત્યુ બાદ અનેક દાનપુણ્ય સેવા કાર્ય થતાં હોય છે. જો કે આ સંદર્ભે મૃતાત્માને તો કોઈ જાણ થાય છે કે નહી એ રહસ્ય હજુ પણ અકબંધ છે. પરંતુ જીવતે જીવ જ પોતાના હાજરીમાં જ પોતાના મોક્ષાર્થે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે એવું ભાગ્યે જ બનતું હોય છે. સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામે  લાખાણી પરિવાર દ્વારા ૧૦૧ વર્ષના દિવાળીબાનુ જીવતા જગતિયું કરવામાં આવ્યું.

આમ તો જીવતા જગતિયું એટલે વ્યક્તિની કોઈ પણ ઈચ્છાઓ અપૂર્ણ ન રહે એટલે કે મૃત્યુ સમયે કોઈ અફસોસ ન રહે. સંપૂર્ણ લીલીવાડી જેવો પરિવાર લાગે તેમ ગણી શકાય. આવું જ કંઇક રામગઢ ખાતે લાખાણી પરિવાર દ્વારા દિવાળીબાનું જીવતા જગતિયું કરવામાં આવતા સમગ્ર ગામમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Related Posts