રાષ્ટ્રીય

ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલ હિંસામાં ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા;UNના રિપોર્ટમાં દાવો

ભારતના પડોસી દેશ બાંગ્લાદેશમાં ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના દેખાવો બાદ બળવો થયો હતો. આ પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર (યુએન હ્યુમન રાઇટ્‌સ) એ બુધવારે (૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫) તત્કાલીન શેખ હસીના સરકાર પર વિરોધીઓ પર હુમલો કરવા અને મારવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. યુએનનો અંદાજ છે કે શેખ હસીના વિરુદ્ધ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પરની કાર્યવાહી દરમિયાન આશરે ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા.

જીનીવા સ્થિત કાર્યાલયે એક નવા અહેવાલમાં જણાવ્યું હતું કે સુરક્ષા અને ગુપ્તચર સેવાઓ “વ્યવસ્થિત રીતે” અધિકારોના ઉલ્લંઘનમાં સામેલ હતી જે માનવતા વિરુદ્ધના ગુનાઓ સમાન હોઈ શકે છે અને તેની તપાસ કરવાની જરૂર છે. માનવાધિકાર કાર્યાલયે “વિવિધ વિશ્વસનીય સ્ત્રોતો” ને ટાંકીને જણાવ્યું હતું કે ૧ જુલાઈથી ૧૫ ઓગસ્ટ વચ્ચે થયેલા વિરોધ પ્રદર્શનોમાં ૧,૪૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયાની આશંકા છે.

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના દેશમાં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના મોટા વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશ છોડીને ભારત આવ્યા હતા અને ગયા વર્ષે ૫ ઓગસ્ટથી અહીં છે. આ વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ, તેમની ૧૬ વર્ષ જૂની અવામી લીગ સરકાર પડી ભાંગી. આ પછી મોહમ્મદ યુનુસે ૮ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ બાંગ્લાદેશની વચગાળાની સરકારનો કાર્યભાર સંભાળ્યો. ેંદ્ગ માનવાધિકાર વડા વોલ્કર ટર્કે સંકેત આપ્યો હતો કે વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે રાજકીય નેતૃત્વ અને ટોચના સુરક્ષા અધિકારીઓના જ્ઞાન અને સંકલનથી “અન્યાયિક હત્યાઓ, વ્યાપક મનસ્વી ધરપકડો” કરવામાં આવી હતી.

Related Posts