ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા ટ્રેકિંગ રૂટ પર જંગલચટ્ટી ઘાટ નજીક બુધવારે એક ટેકરીની ટોચ પરથી પથ્થરો નીચે પડતાં ઓછામાં ઓછા બે યાત્રાળુઓના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. સવારે ૧૧.૨૦ વાગ્યે ભૂસ્ખલન થયું હતું અને પથ્થરો ટેકરી પરથી નીચે ધસી પડ્યા હતા, જે યાત્રાળુઓ, પાલખી અને કુલી સંચાલકો પર અથડાયા હતા જ્યારે ઘણા લોકો માર્ગ પર ટ્રેકિંગ કરી રહ્યા હતા.
રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક અક્ષય પ્રહલાદ કોંડેના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળતાં જ, પોલીસ અને જિલ્લા આપત્તિ પ્રતિભાવ દળ (ડ્ઢડ્ઢઇહ્લ) ના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને અસરગ્રસ્ત લોકોને બચાવ્યા.
ભૂસ્ખલનમાં ત્રણ ઘાયલો સહિત એક મહિલા
એસપીએ જણાવ્યું હતું કે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક મહિલા સહિત ત્રણ અન્ય ઘાયલ થયા હતા. મહિલાને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે ગંભીર રીતે ઘાયલ પુરુષોને ગૌરીકુંડના આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યા હતા.
“બુધવારે સવારે ૧૧:૨૦ વાગ્યે, જંગલચટ્ટી નજીક ઉપરની ટેકરી પરથી અચાનક કાટમાળ અને પથ્થરો પડતાં કેટલાક મુસાફરો અને દાંડી/કાંડી ધારકો ફસાઈ ગયા હતા. સ્થાનિક પોલીસ અને ડીડીઆરએફ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને બચાવ્યા હતા,” રુદ્રપ્રયાગ પોલીસે જણાવ્યું હતું.
મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. ઘાયલોને ગૌરીકુંડમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે તમામ મુસાફરોને પર્વતીય માર્ગો પર મુસાફરી કરતી વખતે ખાસ સાવધાની રાખવા અને વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી સૂચનાઓનું કડક પાલન કરવા વિનંતી કરી છે.
કેદારનાથ ટ્રેક રૂટ પર પથ્થર ધસી પડતાં ૨ શ્રદ્ધાળુઓના મોત, ૩ ઘાયલ

Recent Comments