જાફરાબાદ તાલુકામાં તોકેત વાવાઝોડાને આજે વીસ દિવસ થયા છતાં પણ આજે જાફરાબાદ તાલુકાના લોકો પાણી વીજળી વગર વલખા મારી રહ્યા છે અધિકારીઓ દ્વારા સરકાર ની અંદર ખોટી માહિતી આપવામાં આવી રહી છે કે માત્ર ત્રણ જ ગામમાં વીજળી બાકી છે પરંતુ આજે અસંખ્ય ગામમાં લાઈટ પાણીની સુવિધા નથી અને માત્ર અને માત્ર આ તાલુકામાં કેશડોલ ની સહાય ચુકવવામાં આવી છે એ પણ અધુરી અન્ય કોઈ સહાય મકાન ઘરવખરી ખેતીની સહાય લોકો સુધી પહોંચી નથી અને સરકાર કહે છે કે તમામ સહાય ચૂકવાઇ ગઇ છે હાલ ખેતી ની અંદર અસંખ્ય ખેડૂતોને અન્યાય થયો છે ત્યારે જાફરાબાદ તાલુકામાં સત્તાધારી પક્ષના આગેવાનો પણ પ્રેસ મા નિવેદનો કરી અને રી-સર્વેની માંગણી કરી અને સાબિત કરી આપે છે કે સરકારે લોકો સાથે અન્યાય કર્યો છે અને આ સરકાર ફેલ સાબિત થઈ છે ત્યારે લોકો વતી વિનંતી છે કે જાફરાબાદ તાલુકાના લોકોને અંધકાર માથી અંજવાળા માં લઈ જાય અને લોકોનું રાબેતા મુજબ જનજીવન ધબકતું થાય તાત્કાલિક ધોરણે પાણી વીજળી અને ખેતીવાડી મકાનની સહાય ચુકવવામાં આવે અને જે વાડી વિસ્તારમાં મકાનોને નુકસાન થયું છે તેનું પણ સર્વે કરવામાં આવે અને ખેતીવાડી વિભાગની વીજળી પણ હજી એક મહિનો આવી શકે તેવી કોઈ શક્યતા નથી જેને લીધે ખેડૂતોના ખેતરોને મજૂરીકામ થી કોઈ ભાગવું રાખતા નથી ત્યારે તાત્કાલિક ધોરણે ખેતીવાડી લાઈટ પણ રીપેરીંગ થાય અને મકાનની તાત્કાલિક સહાય ચૂકવાય જેથી ચોમાસા પહેલા ગરીબ માણસો પોતાનું મકાન બનાવી શકે સરકારી અધિકારીઓ સહાય ચૂકવવા ની માત્ર આંકડાકીય માહિતી આપે છે વ્યક્તિગત માહિતી આપતા નથી તાતકાલી વ્યક્તિગત માહિતી આપી અને સહાય ચુકવેલ તેવી માંગણી આ વિસ્તારના જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ટીકુભાઈ વરૂ એ માંગ કરી છે
20 દિવસ થી જાફરાબાદ તાલુકો અંધકારમય,ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલિક ધોરણે વીજળી આપો : ટીકુભાઈ વરૂ

Recent Comments