આગામી 20 મી માર્ચના સોમવાર રોજ ધારી ના સેવાભાવી, રક્તદાતા ચક્ષુદાતા પત્રકાર હસમુખભાઈ દવેને આઠમી પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રીય સંત પૂજય મુક્તાનંદ બાપુ સંચાલિત જય અંબે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા ધારી સ્વામિનારાયણ મંદિર તથા ધારીના પત્રકાર અરવિંદભાઈ દવે દ્વારા આ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં ફેમિલી ફીઝિશિયન ડો. રાધા શાહ, હાડકાના નિષ્ણાત ડો. જીતેન્દ્ર કામલીયા, આંખ ના ડો. જય રાઠોડ, દાંતના ડો. ભગીરથભાઈ વાળા, ખાંભા ના હોમિયોપેથી ડો. કિર્તિકુમાર બોરીસાગર તથા ડો. ગુંજન સુવાગીયા હાજર રહેશે આ કેમ્પમાં ફ્રી નિદાન તથા ફ્રી દવા આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. બોરીસાગર દ્વારા દારૂ તેમજ ધુમ્રપાન છોડાવવા માટે ઉપચાર તેમજ નિ:શુલ્ક દવાઓ પણ આપવામા આવશે. આ કેમ્પ વધુ સારવારની જરૂરિયાત જણાય તો ચાપરડા ખાતે નિ:શુલ્ક ઓપરેશન પણ કરી આપવામા આવશે. આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા આયોજક દિનબંધુ સ્વામી (બીએપીએસ સ્વામિનારાયણ મંદિર) તથા અરવિંદભાઈ દવેએ અનુરોધ કરેલ છે.
Recent Comments