આગામી તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને યોગ દ્વારા તંદુરસ્ત અને નિરોગી જીવન રહેવા યોગ ખૂબજ જરૂરિછે ત્યારે અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોક જોષીની સૂચનાથી જીલ્લાના તમામ હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા વિશ્વ યોગ દિવસની તૈયારી ઓને લઈને ચાર દિવસ સુધી 18 અઢાર યુનિય કચેરીઓ અને તમામ તાલુકા મથક ખાતે હોમગાર્ડ જવાનોની યોગ પરેડ યોજાશે જેના ભાગરૂપે અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અને દામનગર હોમગાર્ડ ઈ.ઓફિસર કમાન્ડિંગ અમિતગીરી ગોસ્વામી દ્વારા યુનિટના તમામ જવાનોને યોગ બાબતેના ફાયદાઓ વિવિધ પ્રકારના યોગના દાવો, યોગથી તંદુરસ્ત અને નિરોગી જીવન તથા લોકોમાં યોબ બાબતે જાગૃતતા આવે અને હોમગાર્ડ જવાનો લોકોને યોગ શીખવાડે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
યોગના અદભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચાડવા લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે દુનિયામાં થઈ રહેલા નવા નવા રોગોને ઘટાડવા
સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા
લોકોને તણાવ મુક્ત બનાવવા યોગ દ્વારા લોકોમાં વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા
લોકોમાં એ બાબતે જાગૃતતા ફેલાવવા કે યોગ દ્વારા ઘણી બધી બિમારીઓમાંથી છૂટકારો મળી શકેછે ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ વડી કચેરીની સૂચના અને જીલ્લા કમાન્ડન્ટના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના તમામ હોમગાર્ડ જવાનો દ્વારા યોગની તૈયારીઓ અને ચાર દિવસ સુધી યોગ પરેડ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે તેમ દામનગર સિનિયર પ્લાટુન કમાન્ડર મહેશભાઈ રાજ્યગુરૂએ જણાવ્યુ હતુ.
21 જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે અમરેલી જીલ્લાના તમામ હોમગાર્ડ જવાનો દ્વારા યોગની તૈયારીઓ શરૂ કરવામાં આવી

Recent Comments