બુધવારથી ગણેશોત્સવનાઆરંભનીસાથેજસુરત શહેરમાં અંદાજિત81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તંત્ર દ્વારા વિસર્જન માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં 21 કુત્રિમ અને 3 કુદરતી ઓવારા પર ગણેશ વિસર્જન કરવામાં આવશે. 1થી 5 ફૂટની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે. જ્યારે 5 ફુટથી મોટી પ્રતિમાઓને કુદરતી ઓવારામાં વિસર્જિત કરવામાં આવશે.ફાયર વિભાગ તરફથી પાંચ ટીમ અલગ અલગ કુંડ-પંડાલ ખાતે ફરજ બજાવશે.
વિસર્જન દરમિયાન પોલીસ તંત્ર પણ વધુ એલર્ટ થઇ ને કામગીરી કરવાનું છે, જેમાં 1 CP, 1 સ્પેશિયલ સીપી, 2 JCP, 22 DCP, 33 ACP, 159 PSI ફરજ પર હાજર રહેશે. સાથે જ 6575 પોલીસ, 5000 હોમગાર્ડ, 12 SRP કંપની અહિંયા હાજર રહેશે. તે ઉપરાંત 6000 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ફરજ પર હાજર રહેશે. સાથેજરહેણાંક વિસ્તારમાં 450 ધાબા ઉપર પોઇન્ટ આપવામાં આવ્યા છે. જ્યાં પોલીસ તૈનાત રહેશે. પોલીસ દ્વારા 20 ડ્રોન કેમેરાથી સતત ચાંપતી નજર રાખવામાં આવશે. પોલીસ જવાનો 125 વીડિયો કેમેરા અને 900 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે. આ સાથેજ2000 સીસીટીવી કેમેરાથી સતત નજર રખાશે.
આ બાબતે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ,326 પેટ્રોલિંગ વાહનો અને 10 વોચ ટાવરથી પોલીસ આ વિસ્તાર પર નજર રખાશે. તેમજ જિલ્લામાંથી5 DCP, 13 ACP, 35 PI, 74 PSI, 600 પોલીસકર્મી અને 3500 હોમગાર્ડનેબંદોબસ્તની કામગીરી સોંપવામાં આવશે. સાથે જ 8 SRP કંપનીની પણ મદદ લેવામાં આવશે. 150 એઆઈકેમેરા અને 2000 સીસીટીવી કેમેરાની મદદથી પાલીસ લોકોની ચહલપહલ પર નજર રાખશે. પોલીસ દ્વારા 530 જેટલા બાઈકો પર સતત પેટ્રોલિંગ કરશે. શહેરમાં અલગ અલગ જગ્યા પર ક્રાઈમબ્રાન્ચની10 ટીમો અને SOGની પણ 10 ટીમો હાજર રહેશે. તદુપરાંત 7 વજ્ર વાહન અને 1 વરુણ વાહનને પણ તૈનાત રાખવામાં આવી છે.



















Recent Comments