ભાવનગર

ભાવનગર શિશુવિહાર સંસ્થાની નિરમા લિમિટેડનાં સૌજન્ય આરોગ્ય શિબિર માં ૨૧૩ ગ્રામજનો ની તપાસ કરાય

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં કાળા તળાવ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. તા.૦૭  ઑગસ્ટએ યોજાયેલ શિબિરમાં  ૨૧૩ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , ડૉ.અભિલાષા બહેન સોનપાલ , શ્રી છાયાબહેન રાણીગા,  શ્રી કમલેશભાઈ વેગડ   નિરમા લિમિટેડ હેલ્થ સેન્ટરના જયભાઈ દવે તથા આચાર્ય શ્રી રમેશભાઈ ડાભીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક  શ્રી અનિલભાઈ બોરીચાએ કર્યું હતું..

Related Posts