ગુજરાત

“૨૦૧ બહેનો દ્વારા ૨૧૭૦૮ પાર્થેશ્વર શિવલીગ બનાવી” પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવ અનુષ્ઠાન     

બોટાદ પાળીયાદ પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા દ્વારા ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી તારીખ ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ મહિના ના દ્વિતીય સોમવાર ના રોજ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવનાં પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી પૂજ્ય ગાયત્રીબા સાથે સૌ શ્રી વિહળ શક્તિ ગ્રુપ ના બહેનો મળી કુલ ૨૦૧ બહેનો એ પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતા પ્રત્યેક બહેન દીઠ ૧૦૮ શિવલિંગ બનાવી ટોટલ ૨૧૭૦૮ પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા ત્યારબાદ  બ્રાહ્મણ દ્વારા વિધિવિધાન પૂજન સાથે સૌ એ ભોજન પ્રસાદ લઈ સાંજે વિધિવિધાન પૂજન કરી શિવલિંગ નું ગોમા નદીના જળ માં વિસર્જન કરવામાં આવ્યું..

Related Posts