અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ ૨૯ ગુજરાતીઓ વતન પરત ફર્યા

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ૧૧૨ ભારતીયોને લઈને એક અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું જેમાં ૩૩ ગુજરાતીઓ પણ સવાર હતા. આમાંથી ૪ ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા જ્યારે ૨૯ ગુજરાતીઓ બીજી ફ્લાઇટ દ્વારા પહોંચ્યા હતા. છેલ્લા ૧૨ દિવસમાં ત્રણ બેચમાં કુલ ૩૩૨ ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. આમાં ૭૪ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
ત્રીજા તબક્કામાં, ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ૧૫૭ ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. આમાં ૨૦ થી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે જેમને આજે બે ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે. એક ફ્લાઇટ સવારે ૧૧ વાગ્યે અને બીજી બપોરે ૧ઃ૪૫ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. આમાંથી ૪ ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે બાકીના ૨૯ લોકો બપોરે બીજી ફ્લાઇટ દ્વારા પહોંચશે. ૪ ગુજરાતીઓ મહેસાણા, સુરેન્દ્રનગર અને ૨ ગાંધીનગરના વતની છે.
અમદાવાદ આવનાર ૨૨ ગુજરાતીઓના નામઃ-
પટેલ માહી રાજેશભાઈ – અમદાવાદ
પટેલ હારમી રાજેશકુમાર – અમદાવાદ
પટેલ પ્રાંશ જયેશકુમાર – ડિંગુચા (ગાંધીનગર)
પટેલ જયેશકુમાર ભોલાભાઈ – ડિંગુચા (ગાંધીનગર)
પટેલ હિરલબેન જયેશકુમાર – ડિંગુચા (ગાંધીનગર)
રાણા સપનાબેન ચેતનસિંહ – પાલજ (ગાંધીનગર)
રાણા ચેતનસિંહ ભરતસિંહ – પાંસર (ગાંધીનગર)
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ – ગાંધીનગર
મીહીર ઠાકોર – ગુજરાત
લુહાર પુજા ધવલભાઈ – જામનગર
રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહ – રાંધેજા
પટેલ નીત તુષારભાઈ – ગુજરાત
પટેલ દીપ ઘનશ્યામભાઈ – વડાસ્વામી (મહેસાણા)
પટેલ રાજેશ બલદેવભાઈ – ઘુમાસણ (મહેસાણા)
પટેલ ચીરાગકુમાર શૈલેષકુમાર – ઘુમાસણ (મહેસાણા)
પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈ – વેડા
પ્રજાપતિ આરવ અનિલકુમાર – ગોઝારીયા
પ્રજાપતિ દૃષ્ટી અનિલકુમાર – ગોસાવિરા
પટેલ મંજુલાબેન રાજેશભાઈ – કેરવડા (ભરૂચ)
પટેલ હસમુખભાઈ રેવાભાઈ – ગુજરાત
રામી હિતેશભાઈ રમેશભાઈ – સુશીયા, ગુજરાત
ચૌધરી સુરેશભાઈ અંશકુમાર – ગુજરાત
Recent Comments