રાષ્ટ્રીય

આસામમાં સવારે ૨ઃ૨૫ વાગ્યે ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ

આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. જાે કે સદનસીબે આ ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી. હકીકતમાં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) અનુસાર, ગુરુવારે વહેલી સવારે આસામના મોરીગાંવ જિલ્લામાં ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ બાબતે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) ના કહેવા પ્રમાણે ભૂકંપ સવારે ૨ઃ૨૫ વાગ્યે ૧૬ કિલોમીટર તળિયે આવ્યો હતો. ભૂકંપના આંચકા ગુવાહાટી, શિલોંગ અને આસામના અન્ય ભાગો તેમજ બાંગ્લાદેશ, ભૂટાન અને ચીનમાં અનુભવાયા હતા.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભૂકંપનો આંચકો એટલો જાેરદાર હતા કે ગુવાહાટી અને આસપાસના વિસ્તારોના લોકો જાગી ગયા. જાેકે, અત્યાર સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.

Related Posts