fbpx
રાષ્ટ્રીય

સુદાનની સેના સામે લડી રહેલા અર્ધલશ્કરી જૂથ દ્વારા ઓમદુરમાનમાં ખુલ્લા બજાર પર થયેલા હુમલામાં ૫૪ લોકોના મોત

રેપિડ સપોર્ટ ફોર્સિસ (ઇજીહ્લ) એ ઓમદુરમાન શહેરના બજાર પર કરેલ હુમલામા ૧૫૦ થી વધુ લોકો ઘાયલ છેલ્લા ઘણા સમયથી સુદાનમાં સેના સામે લડી રહેલા એક કુખ્યાત અર્ધલશ્કરી જૂથે ઓમદુરમાન શહેરના એક બજારમાં હુમલો કર્યો છે, જેમાં ૫૪ લોકોના મોત થયા હતા. આ માહિતી સુદાનના આરોગ્ય અધિકારીઓએ આપી હતી.

સુદાનમાં સેના સામે લડતા કુખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસ (ઇજીહ્લ) એ ઓમદુરમન શહેરના એક બજાર પર હુમલો કર્યો. આરોગ્ય મંત્રાલય દ્વારા દાખલ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેપિડ સપોર્ટ ફોર્સે શનિવારે સબરીન માર્કેટ પર હુમલો કર્યો હતો, જેમાં ૫૪ લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા ૧૫૮ ઘાયલ થયા હતા.
આ હુમલાની ઘટના બાદ મીડિયા સૂત્રો તરફથી મળતા સમાચાર મુજબ સરકારી પ્રવક્તા ખાલિદ અલ-અલેસિરે હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે મૃતકોમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ હુમલાથી ખાનગી અને જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે. તેમણે આ

હુમલાને માનવતા વિરુદ્ધ ક્રૂર કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઘોર ઉલ્લંઘન છે.
ઉત્તરપૂર્વ આફ્રિકન દેશના વધતા જતા ગૃહયુદ્ધમાં ઘાતક હુમલાઓની શ્રેણીમાં તે નવીનતમ ઘટના હતી. આરએસએફ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી.સુદાનના ડોક્ટર્સ સિન્ડિકેટે ઇજીહ્લ હુમલાની નિંદા કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે એક શેલ અલ-નવ હોસ્પિટલથી થોડા મીટર દૂર પડ્યો હતો, જ્યાં મોટાભાગના લોકો બજારમાં માર્યા ગયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા મોટાભાગના મૃતદેહો મહિલાઓ અને બાળકોના હતા, અને ઉમેર્યું હતું કે હોસ્પિટલમાં તબીબી ટીમો, ખાસ કરીને સર્જનો અને નર્સોની ભારે અછત હતી.

Follow Me:

Related Posts