જામનગર જિલ્લાની કુલ ૨૬૬ ગ્રામ પંચાયતોમાં આગામી ૨૨ જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ ૨૬૬ પૈકી ૮૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ શકી છે, બાકીની પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. જામનગર તાલુકામાં કુલ ૬૫ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે, જે પૈકી ૨૦ સરપંચ બિનહરીફ જાહેર થયા છે. કાલાવડ તાલુકાની ૭૨ પંચાયત પૈકી ૨૫ પંચાયતમાં સરપંચ બિનહરીફ અને સાથે સભ્ય પણ બિનહરીફ જાહેર થયા.
લાલપુર તાલુકાની ૪૭ પંચાયત પૈકી ૧૧ પંચાયતોમાં સરપંચ સભ્ય બિનહરીફ થયા છે. જામજોધપુર તાલુકાની ૩૪ પંચાયતો પૈકી ૧૦ ગ્રામ પંચાયત સમરસ બની છે. ધ્રોલની ૨૪ માંથી ૧૨ અને જોડિયાની ૨૪ માંથી ૯ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.
જિલ્લાની સ્થિતિ જોઈએ તો કુલ પંચાયત ૨૬૬ માંથી સરપંચ બિનહરીફ જાહેર થયા હોય એવી પંચાયત ૮૬, કુલ ૧૧૮૮ સભ્ય બિનહરીફ થયા છે. જયારે સરપંચપદ માટે ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવાર ૪૦૭ અને સભ્યપદ માટે હજુ ૧૮૯૩ ઉમેદવાર મેદાનમાં છે.
જામનગર જિલ્લાની ૮૭ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ

Recent Comments