ગુજરાત

ઝાલોદમાં જીએસટી અધિકારીઓ પર હુમલો થતા ચકચાર મચી

ગુજરાતના છેવાડાના જીલ્લા એવા દાહોદના ઝાલોદમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં જીલ્લામાં દરોડા પાડવા માટે ગયેલી વડોદરાની જીએસટી વિભાગના અધિકારીઓ પર હુમલો થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આ ઘટના અંગે મળી રહેલી જાણકારી મુજબ, વડોદરા જી.એસ.ટી.એન્ડ કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા દાહોદ જીલ્લામાં ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ આરંભ્યો છે, ત્યારે આ સમયે જીલ્લાના ઝાલોદમાં અધિકારીઓ જયારે સર્ચ ઓપરેશન કરવા ગયા હતા.

આ દુકાનમાં સર્ચ ઓપરેશનની કામગીરી દરમિયાન અધિકારીઓ પર અગ્રવાલ સમાજના વેપારીઓ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બેફામ ગાળો બોલી હતી. આ સમયે તેઓએ જીએસટી વિભાગના કર્મચારીઓ સાથે ઝપાઝપી ઉપર પણ ઉતરી આવ્યાં હતાં તેમજ શર્ટના કોલર પણ પકડી લીધાં હતાં. આ સાથે તેમને અમે તમને જાેઈ લઈશું, તેમ કહી બેફામ અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ આ સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને જાે કે ત્યારબાદ આ ભીડને જાેઈ જીએસટી વિભાગના કર્મચારીઓએ ભયના માર્યે જગ્યા છોડી દીધી હતાં.

આ સમયે સ્થાનિક વેપારીઓએ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી બેફામ ગાળો બોલી, ધાકધમકીઓ આપી હતી. જાે કે ત્યારબાદ આ ઘટનાના સમાચાર જિલ્લામાં ફેલાઈ જતા ચકચાર મચી ગઈ હતી અને ત્યારબાદ આ ઘટનાની જાન પોલીસને થતા ગુનો નોંધી તપાસ શરુ કરી દેવામાં આવી છે.

Related Posts