ગુરુ તેગ બહાદુર કોવિડ કેર સેન્ટર ૩૦૦ પથારીવાળા સોમવારે બપોરથી મધ્ય દિલ્હીના ગુરુદ્વાર રકાબગંજ સાહિબ ખાતે ખોલવામાં આવ્યું છે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મંજિંદરસિંહ સિરસાએ જણાવ્યું હતું કે, મંગળવારે વધુ ૧૦૦ પથારી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, કોવિડ કેર સેન્ટરનું સંચાલન દિલ્હી સરકારની લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલના ૫૦ ડોકટરો કરી રહ્યા છે. તેમના સહકાર માટે ૧૫૦ નર્સો અને વોર્ડ બોયઝની ટીમ પણ તૈનાત કરાઈ છે.
સિરસાએ જણાવ્યું હતું કે તમામ પથારીમાં ઓક્સિજન સુવિધા છે. આને ૧૫૦ ડી-પ્રકારનાં સિલિન્ડરથી જાેડવામાં આવ્યા છે. કોવિડ -૧૯ દર્દીઓની સારવાર માટે, રેમડેસવીર અને ફેબિફ્લુ જેવી જરૂરી દવાઓ પણ ગોઠવવામાં આવી છે.
તેમણે કહ્યું, “જે દર્દીઓને પ્રતિ મિનિટ ૨૦ લિટર ઓક્સિજનની જરૂર હોય છે, તેઓની અહીં સારવાર કરી શકાય છે.” સારવાર, એમ્બ્યુલન્સ સેવા અને ભોજન માટેની વ્યવસ્થા સંપૂર્ણપણે મફત રહેશે. ” સિરસાએ કહ્યું કે અભિનેતા અમિતાભ બચ્ચને કોવિડ સેન્ટર માટે બે કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.
Recent Comments