અમરેલી

આવતીકાલે ૧૪ ઓગસ્ટે અમરેલીના સિનિયર સિટીજન પાર્ક સર્કલથી અમર જવાન જ્યોતિ સુધી ફ્રીડમ દોડ યોજાશે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં દોડમાં શહેરના ૭૫ યુવાનો ભાગ લેશે

આવતીકાલે તા. ૧૪ ઓગસ્ટના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર અમરેલી તરફથી આઝાદી દિન પૂર્વ દિવસે ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વાત કરતા નહેરુ યુવા કેન્દ્રના અધિકારી સુશ્રી એકાંકી અગ્રવાલએ જણાવ્યું હતું કે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના ૭૫ યુવાઓ ભાગ લેશે. આ દોડ સવારે ૮ કલાકે સીનિયર સિટીજન પાર્ક સર્કલથી અમર જવાન જ્યોતિ સુધી ફ્રીડમ દોડનું આયોજન કરવામાં આવેલ છે.

આ દોડની શરૂઆતમાં કૌશિકભાઈ વેકરીયા જિલ્લા ભાજપ પ્રમુખના વરદ હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ દ્વારા સિનિયર સિટીજન પાર્કમાં પ્રથમ રાષ્ટ્રગાન અને ત્યારબાદ અમર જવાન જ્યોતિ સુધી ફ્રીડમ દોડ યોજાશે. આ દોડમાં અમરેલી શહેરની વિવિધ યુવા સંસ્થાઓ/NGO/NSS તથા અન્ય ૭૫ યુવાનો દોડમાં ભાગ લેશે. દોડનો ઉદ્દેશ ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા ઉજવણી યુવાઓનો શારીરિક વિકાસ થાય તેમજ રમત ગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લે એવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકમનું આયોજન કોરોનાની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે.

Related Posts