ઓમિક્રોન વેરિયેન્ટ વાઇરસ ૧૧ દેશોમાં જાેવા મળી રહ્યો છે. એવા હાઇરિસ્ક ૧૧ દેશમાંથી વલસાડ જિલ્લા વધુ ૫૩ જેટલા મુસાફરો આવતા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્રારા મુસાફરોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સાથે તમામનો ઇ્ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવતા તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હાઈરિસ્ક દેશમાંથી આવેલા ૫૩ યાત્રીઓને ૭ દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ૮ દિવસ બાદ તેમનો ફરી ઇ્ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવશે. સાથે જાે કોઈ પોઝિટિવ આવે તો તેના સેમ્પલો લઈ કયા વેરિઅન્ટ વાઇરસનો શિકાર થયો છે. એ ચકાસવામાં આવશે. જાે તમામનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તમામને ફરજિયાત અન્ય ૭ દિવસ ઓબ્ઝર્વેશન કરશે સાથે આરોગ્ય વિભાગ દ્રારા ૧૧ હાઇરિસ્ક દેશમાંથી આવેલા લોકો પર સતત નજર રાખવામાં આવશે. સાથે લગ્ન સિઝનમાં વિદેશથી આવતા તમામ યાત્રીઓ ઉપર પણ આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આવનારા તમામ યાત્રીઓનો આરોગ્ય વિભગની ટીમ દ્વારા સંપર્ક કરીને યાત્રીઓને કોરેન્ટાઇન કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરેન્ટાઇન સમય પૂર્ણ થતાં તેવા ૮ યાત્રીઓને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે કોરેન્ટાઇન સમયમાંથી મુક્તિ આપતા પરિવાર જનોમાં આનંદની લાગણી જાેવા મળી હતી. સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા ૧૧ જેટલા દેશોમાંથી ભારતમાં આવતા યાત્રીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વધુ ૫૩ જેટલા યાત્રીઓ આવ્યા હતા. તમામ યાત્રીઓ હાઈરિસ્ક દેશોમાંથી આવ્યા હોવાથી કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૮ યાત્રીઓને કોરેન્ટાઇન સમય ૧૪ દિવસ થાય બાદ કોઈ લક્ષણો ન જણાતા કોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી. જ્યારે ૨૩ યાત્રીઓને ૮ દિવસ પૂર્ણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગે ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરી સેલ્ફ મોનીટરીંગમાં રહેલા સૂચના આપવામાં આવી છે. લગ્ન સિઝન ચાલી રહી હોવાથી અન્ય દેશોમાંથી આવતા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જાણ કરવા અને તેમને પણ હોમ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં હાઈરિસ્ક દેશમાંથી કુલ ૫૩ યાત્રીઓ આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. હાઇરિસ્ક દેશ અને અન્ય દેશમાંથી આવતા તમામ યાત્રીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જે પૈકી કોવિડની નવી ગાઈડલાઈન મુજબ હાઈરિસ્ક દેશોમાંથી આવતા તમામને ૧૪ દિવસ માટે કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જે પૈકી ૮ યાત્રીઓને ૧૪ દિવસ કોરેન્ટાઇન પિરિયડ પૂર્ણ થતાં અને કોઈપણ લક્ષણો ન ધરાવતા હોવાથી ૮ યાત્રીઓને કોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે ૨૩ યાત્રીઓને ૮ દિવસનો કોરેન્ટાઇન સમય પૂર્ણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ૨૩ યાત્રીઓને ઇ્ઁઝ્રઇ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઓમિક્રોનની અસર ધરાવતા એકપણ યાત્રી જિલ્લામાં આવ્યો ન હોવાથી આરોગ્ય વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડ જિલ્લામાં હાઈરિસ્ક દેશોમાંથી આવેલા ૫૩ દર્દીઓ પૈકી ૩ જામનગર, ૨ મુંબઇ અને ૧ દિલ્હી માં કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
વલસાડમાં હાઈરિસ્ક દેશોમાંથી આવેલા ૫૩ નાગરિકોને કોરેન્ટાઈન કરાયા

Recent Comments