ગુજરાત

ભરૂચમાં ૨૧૫૩૬ કરોડના રોકાણના ઉદ્યોગકારોએ એમઓયુ કર્યા

રાજય સરકાર દ્વારા યોજાનારા વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૨ની તૈયારીઓ ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક કેન્દ્ર ,વાપી જીઆઇડીસી અને જીપીસીબીને વાઇબ્રન્ટ સમિટના કરારો માટેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્રણેય વિભાગ દ્વારા વાપી,સરીગામ,ઉમરગામ,પારડી,ગુંદવાવ એટલે કે વાપી રિઝયનમાં ખાનગી કંપનીઓએ રોકાણની સમજુતિની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. વાપી જીઆઇડીસી કચેરીના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ૯ ડિસેમ્બર સુધીમાં વાપી રિઝયનમાં (વલસાડ જિલ્લામાં) ૧૩૭૦ એમઓયુ થયાં છે. જેમાં ૩૫૨૫.૭૭ કરોડના રોકાણનો અંદાજ છે. વલસાડ ઔૈદ્યોગિક કેન્દ્રના જણાવ્યાં મુજબ વાપીથી ૧૮૪ એમઓયુ પાછળ ૨૭૫ કરોડનું રોકાણ થશે.જયારે વાપી જીપીસીબીએ વાપી રિઝયનમાં ૧૯૬ એમઓયુ કર્યા છે. આ ત્રણેય વિભાગોમાં હાલ એમઓયુની પ્રક્રિયા ચાલી રહી છે. રોકાણનો આંકડો હજુ ઉંચો જશે. થોડા દિવસોમાં ફાઇનલ સ્થિતિની જાહેરાત કરાશે, પરંતુ પ્રથમ તબક્કે વાપી સહિત જિલ્લામાં ૩૫૨૫ કરોડ સામે ભરૂચમાં ૨૧૫૩૬ કરોડનું ઉદ્યોગકારોએ રોકાણની સમજુતિ કરી છે.પ્રથમ તબક્કે ભરૂચમાં માત્ર ૧૭ એમઓયુમાં વધુ રોકાણ થયું છે. જયારે જિલ્લામાં ૧૩૭૦ એમઓયુ થવા છતાં રોકાણ ઓછુ થયું છે.ગુજરાતમાં ૧૦મી વાઇબ્રન્ટ સમિટ પૂર્વે કંપનીઓ દ્વારા એમઓયુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં વાપી,ઉમરગામ,સરીગામ સહિત ૧૩૭૦ એમઓયુ થકી ૩૫૨૫.૭૭ કરોડનું રોકાણનો વાયદો કરવામાં આવ્યો છે.વલસાડ જિલ્લાની સામે ભરૂચમાં માત્ર ૧૭ એમઓયુ થકી ૨૧૫૩૬ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. વાપી જીઆઇડીસીમાં જગ્યાના અભાવે વાપીના ઉદ્યોગકારોએ સૌથી વધુ દહેજ,સાયખા સહિત ભરૂચમાં એમઓયુ કર્યા છે.ગુજરાત વાયબ્રન્ટ સમિત ૨૦૧૭માં પ્લાસ્ટિક ઉદ્યોગના ઉજળા ભવિષ્યને ધ્યાનમાં રાખી વાપીમાં દેશની પ્રથમ પ્લાસ્ટિક એન્જિનિયરીંગ યુર્નિવસિર્ટી બનાવાનો એમઓયુ રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સમયે મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી હતી. હજુ સુધી કોઇ કામગીરી થઇ નથી. ૨૦૨૨ના વાયબ્રન્ટ સમિટમાં ફરી આ પ્રોજેકેટનો એમઓયુ કરાયો હોવાનો જીઆઇડીસીના અધિકારીએ જણાવ્યું હતું. સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમિત ૨૦૧૭માં વાપી જીઆઇડીસી વિસ્તારમાંથી સૌથી વધારે એમઓયુ થયાં હતા. માત્ર નાના ઉદ્યોગકારોએ ૨૦૭ના એમઓયુ કર્યા હતાં. જેની સામે મોટા ઉદ્યોગકારોએ ૧૩ એમઓયુ કર્યા હતાં.વાપીમાંથી કુલ ૩૨૫ જેટલા એમઓયુ થયાં છે.જેમાં એગ્રીકલ્સર, ફાર્મા,ફર્ટીલાઇઝર,કેમિકલ ક્ષેત્ર,એગ્રોફુડ,એજયુકેશન સહિત વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થતો હતો, પરંતુ મોટા ભાગના એમઓયુ માત્રને માત્ર કાગળ પર રહી ગયાં છે વાપી જીઆઇડીસી એસ્ટેટમાં જગ્યાના અભાવે ઉદ્યોગકારો હવે ભરૂચ જિલ્લાના દહેજ,સાયખા વિલાયત જીઆઇડીમાં રોકાણને વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. વાઇબ્રન્ટ સમિટ પૂર્વે બંને જિલ્લાના એમઓયુ અને રોકાણના આંકડા પરથી સ્થિતિ સાફ થઇ રહી છે. જાે કે આગામી દિવસોમાં બંને જિલ્લામાં એમઓયુની સંખ્યા વધવાની પુરેપુરી સંભાવના છે. વાપી રિઝયનમાં આવતાં વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક ઉદ્યોગકારોએ વાઇબ્રન્ટ સમિટ અંતગર્ત નવા ઉદ્યોગો સ્થાપવા સમજુતી કરી છે. જેમાં નવસારી જિલ્લામાં ૧૮૫ એમઓયુ ઉદ્યોગકારોએ થયાં છે. જયાં ૨૪૪.૪૬ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં ધીમે-ધીમે જગ્યાના અભાવે હવે નવસારી જિલ્લામાં ઉદ્યોગોની સારી તક જાેવા મળી રહી છે.

Related Posts