રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે જૂથ વચ્ચે સીધો જંગ જામ્યો હતો અને બંને જૂથ દ્વારા જીત મેળવવા એડીચોટીનું જાેર લગાડવામાં આવ્યું હતું. જેને પગલે રાજકોટ ભાજપમાં અંદરખાને બધુ બરાબર ન હોવાના તથા આગેવાનોમાં બે ભાગલા થઈ ગયા હોવાની ઘટના બની હતી. જ્યાં પ્રમુખપદ સહિતના હોદ્દાઓની ભાજપને જ સમર્થિત વકીલોના જીનિયસ પેનલની પડખે સાંસદ રામભાઈ મોકરીયા તથા ધારાસભ્ય ગોવિંદ પટેલ ચડયા હતા. જયારે પુર્વ સાંસદ સ્વ. અભય ભારદ્વાજના પુત્ર એસ. ભારદ્વાજ- દિલીપ પટેલ સહિત ભાજપ લીગલ સેલ સમર્થિત પેનલ પણ સામે મેદાને આવ્યા હતા.
રાજકોટ બાર એસો. પ્રમુખ પદે જીનીયસ પેનલના અર્જુન પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમને ૩૪૯ મતની લીડ મળી છે. કુલ પડેલા ૨૦૧૧ મતમાંથી અર્જુનભાઇને ૯૧૫, જીજ્ઞેશ જાેશીને ૫૬૬ અને સમરસ પેનલના અમિત ભગતને ૪૧૮ મત મળ્યા છે.જ્યારે ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાનો વિજય થયો છે. તેમને ૧૦૬૫ મત મળ્યા છે. જ્યારે જીનીયસ પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર બિમલ જાનીને ૮૦૨ મત મળ્યા છે. સિધ્ધરાજસિંહને ૨૬૩ મતની લીડ મળી છે.સેક્રેટરી પદે જીનીયસ પેનલના પી.સી. વ્યાસ વિજેતા થયા છે. તેમને ૯૮૫ મત મળ્યા છે. જ્યારે તેમના હરીફ સમરસ પેનલના દિલીપ મહેતાને ૮૨૯ મત મળ્યા છે. એટલે કે ૧૫૬ મતની લીડ છે. આ તરફ ટ્રેઝરર પદે સમરસ પેનલના જીતેન્દ્ર પારેખ ચૂંટાયા છે. તેમને જીનીયસ પેનલના ઉમેદવાર ડી.બી. બગડા કરતા ૧૧૬ મત વધુ મળ્યા છે. જીતેન્દ્ર પારેખને ૯૮૦ અને ડી.બી. બગડાને ૮૬૪ મત મળ્યા છે.લાયબ્રેરી સેક્રેટરી પદે પણ સમરસ પેનલે બાજી મારી છે. સુમિત વોરાને ૧૦૩૪ મતો મળ્યા છે જ્યારે જીનીયસ પેનલના અજય જાેશી(એ.કે.)ને ૭૭૭ મત મળ્યા છે કારોબારીની મહિલા અનામત સીટ ઉપર ચેતનાબેન કાછડીયા વિજય થયા છે તેમને ૯૦૦ મત મળ્યા છે અને તેમના હરીફ સમરસ પેનલના હિરલબેન જાેશીને ૬૮૭ મત મળ્યા છે.
અને ત્રીજા મહિલા ઉમેદવાર અરુણાબેન પંડ્યાને ૧૮૩ મત મળ્યા છે. આમ ચેતનાબેનને ૨૧૭ મતની લીડ મળી છેચૂંટણીમાં ૩૦૮૨ પૈકી ૨૦૧૧ મતદારોએ મતદાન કર્યું હતું અંદાજિત ૬૨ ટકા મતદાન થયા બાદ મતગણતરી શરૂ થઈ હતી જેમાં પ્રમુખ પદે જીનીયસ પેનલના અર્જુનભાઈ પટેલની વરણી થતાં સાંસદ રામભાઈ મોકરીયા અને સ્ન્છ ગોવિંદ પટેલ પ્રેરિત પેનલનો હાથ ઉપર રહ્યો છે.પપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાની વરણી થઇ છે. જયારે અગ્રણી વકીલ દિલીપ પટેલની પીછેહઠ થઈ છે. એવું ચર્ચાય રહ્યું છે કે સાંસદ મોકરિયા અને ગોવિંદ પટેલના ટેકાના પ્રતાપે જીનિયસ પેનલને જીત મળી છે. જુના અગ્રણી અને સમરસ પેનલ જેને ગણકારતા ન હતા તેનો જવાબ આ પરિણામ એ આપ્યો હોય તેવા ઘાટ ઘડાઈ રહ્યા છે. આ ચૂંટણીમાં અમીત ભગતની પેનલને અગ્રણી વકીલ દિલીપ પટેલ-અંશ ભારદ્વાજ સહિત ભાજપ લીગલ સેલનું સમર્થન હતું. છતાંય અર્જુન પટેલની પેનલે ઉમેદવારી નોંધાવતા સાંસદ મોકરિયા તેના કાર્યાલયના ઉદ્ઘાટન માટે ગયા હતા. જે સતાના સમીકરણો બદલાયાની સાક્ષી પુરે છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ઝ્રસ્ વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજકોટ ભાજપમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. જેમાં વિજયભાઈની નજીકના અનેક સ્થાનિક નેતાઓ ભાજપથી અળગા રહ્યા છે. અને હવે રાજકોટમાં સાંસદ રામભાઈ મોકરીયા અને સ્ન્છ ગોવિંદ પટેલનું કદ પણ વધી રહ્યું છે. અને બન્ને રાજકોટના રાજકારણમાં અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યા છે.
Recent Comments