ભારત અને પાંચ મધ્ય એશિયાના દેશોએ અફઘાનિસ્તાનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે અફઘાનિસ્તાનના પ્રદેશનો ઉપયોગ આતંકવાદીઓને આશ્રય આપવા, તાલીમ આપવા, આતંકવાદી ગતિવિધિઓનું આયોજન કરવા અથવા તેમની પ્રવૃત્તિઓ માટે ભંડોળ માટે ઉપયોગ ન કરવો જાેઈએ.
ભારત-મધ્ય એશિયા સંવાદમાં તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે આતંકવાદી જૂથોને આશ્રય આપવો, સરહદ પારના આતંકવાદ માટે આતંકવાદીઓનો પરોક્ષ ઉપયોગ, આતંકવાદને ધિરાણ આપવું અને કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર માનવતા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. પ્રાદેશિક કનેક્ટિવિટી પહેલનો ઉલ્લેખ કરતાં દેશોએ કહ્યું કે આવા પ્રોજેક્ટ્સ પારદર્શિતા, વ્યાપક ભાગીદારી, સ્થાનિક પ્રાથમિકતાઓ, નાણાકીય સ્થિરતાના સિદ્ધાંતો અને તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદર પર આધારિત હોવા જાેઈએ. દિલ્હીમાં ભારત દ્વારા આયોજિત આ સંવાદમાં કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ પ્રધાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદી કૃત્યોના ગુનેગારો, તેમના આયોજકો, ભંડોળ આપનારાઓ અને પ્રાયોજકોને જવાબદાર ગણવામાં આવે છે અને “પ્રત્યાર્પણ અથવા સજા” ના સિદ્ધાંત મુજબ તેમને ન્યાયમાં લાવવા જાેઈએ.
મંત્રીઓએ અફઘાનિસ્તાનમાં વર્તમાન માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને અફઘાન લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાનો ર્નિણય કર્યો.ભારતે અફઘાનિસ્તાનને નવતાવાદી સહાય માટેના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે સુરક્ષા પરિષદે પૂરી પાડવામાં આવેલ સહાયનું નિરીક્ષણ કરવું જાેઈએ તેમજ ભંડોળના યોગ્ય ઉપયોગની ખાતરી કરવી જાેઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ બુધવારે કહ્યું, “ભારત અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય માટેના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવાના પ્રસ્તાવનું સમર્થન કરે છે.” તે મહત્વપૂર્ણ છે કે તરત જ મદદ ઝડપી કરવામાં આવે અને સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓને અવરોધ વિના પ્રવેશ આપવામાં આવે. આ સંદર્ભમાં ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયના કોલને સમર્થન આપ્યું છે કે અફઘાનિસ્તાન માટે માનવતાવાદી સહાયની પહોંચ સીધી અને અવરોધ વિનાની હોવી જાેઈએ. અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય તટસ્થતા, નિષ્પક્ષતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર આધારિત હોવી જાેઈએ. તેમજ સહાયનું વિતરણ વંશીયતા, ધર્મ અથવા રાજકીય માન્યતાને ધ્યાનમાં લીધા વિના ભેદભાવ રહિત હોવું જાેઈએ. ખાસ કરીને આ સહાય મહિલાઓ, બાળકો અને લઘુમતીઓ સહિત સૌથી વધુ સંવેદનશીલ લોકો સુધી પહોંચવી જાેઈએ. તો બીજી તરફ આ કાઉન્સિલે સહાયના વિતરણ પર સમાનરૂપે દેખરેખ રાખવી જાેઈએ તેમજ ભંડોળના કોઈપણ સંભવિત દુરુપયોગને ટાળવું જાેઈએ કારણ કે તેની અસર પ્રતિકૂળ હોઈ શકે છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલએ અફઘાન લોકોને માનવતાવાદી સહાય અને અન્ય સહાયના સતત પ્રવાહને સરળ બનાવવા માટે ત્રણ સામાન્ય લાઇસન્સ જાહેર કર્યા છે.
Recent Comments