ચીતલ માં ૭૯ મો નેત્ર યજ્ઞ અને સન્માન સમારંભ યોજાયો

અમરેલી ના ચિતલ રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ,ચિતલ દ્વારા ૭૯ મો નેત્રયજ્ઞ અને હોમગાર્ડ હંસાબેન મકરાની અને પ્રવીણ ચૌહાણ ને સન્માન સમારોહ ચિતલ હોમગાર્ડ યુનિટ ના સહયોગથી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશી ના અધ્યક્ષતામાં યોજાયો જેનું ઉદ્દઘાટન મહંત લાલનાથનાપુ ના હસ્તે કરવામાં આવેલ કેમ્પ માં આંખ ના દર્દીઓ ની તપાસ અને સારવાર કરવામાં આવેલ અને ૩૭ દર્દીઓને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ જવામાં આવેલ આ પ્રસંગે વેપારી મંડળ,ગ્રામ પંચાયત ચિતલ, વાનંદસમાજ ચિતલ તેમજ હોમગર્ડ યુનિટ દ્વારા રાષ્ટ્રપતિ મેડલ માટે હંસાબેન મકાણી અને મુખ્ય મંત્રી મેડલ માટે પસંદ થયેલ પ્રવીણભાઈ નું ચિતલ ની વિવિધ સંનથા દ્વારા સન્માન કરેલ મતેપાસ પણ જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર, ખોડલધામ ના મનુભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ, વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિહ સરવૈયા, પરેશભાઈ મહેતા,તાલુકા પંચાયત ના સભ્ય જે.બી. દેસાઈ , ઉપ સરપંચ રઘુભાઈ સરવૈયા,જયંતીભાઈ દેસાઈ કાર્તિક ભાઈ ભટ્ટ, વગેરે ઉપસ્થિત રહેલ નેત્રનિદાન કાર્ય ક્રમ નું સંચાલન નરેશભાઈ રાજ્યગુરૂ એ કરેલ અંતમાં આભારવિધિ ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતા અને કેમ્પ ને સફળ બનાવવા બીપીનભાઈ દવે , હસુભાઈ ડોડીયા,સંજયભાઈ લીબાચિયા, વિઠ્ઠલભાઈ કથરિયા,રાજુભાઈ ધાનાણી,વી. ડી.લીબાસિયા,છગનભાઈકાછડીયા, રમેશ ભાઈ સોરઠીયા , છગનભાઈ દેસાઈ, દિનેશભાઈ મેસીયા, દિવ્યેશ ભાઈ બોદર, ખોડાભાઇ ધાંધુકીયા,નરેન્દ્ર પરી,વગેરે જહેમત ઉઠાવી હતી
Recent Comments