સૌરાષ્ટ - કચ્છ

પ્રદેશ કોંગ્રેસ દ્વારા દ્વારકા ખાતે યોજાયેલ ”ચિંતન શિબીર”માં હાજરી આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી

આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી પ્રદેશ કોંગ્રેસ દ્વારા તા. રપ–૦ર–ર૦રર ના રોજ દ્વારકા ખાતે ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે ગુજરાતભરમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને હોદેદારોની મિટીંગનું આયોજન કરાયેલ હતું. જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ પણ આ શિબીરમાં હાજરી આપી આગામી વિધાનસભાની ચુંટણીમાં અમરેલી જિલ્લાની બ્લુપ્રિન્ટ તૈયાર થઇ રહી છે અને અમરેલી જિલ્લાની પાંચે પાંચ સીટ પર કોંગ્રેસનો વિજય ધ્વજ ફરકાવવા હાંકલ કરી હતી.

Related Posts