દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારેલ ગુજરાત યુનિવર્સીટી બી એસ એસ ભારત સરકાર શોધ સંસાધન વિભાગ માંથી ડો ભાવનાબેન ગજેરા એ હેરી સ્ટેજ માં સમાવિષ્ટ થઈ શકે તેવી સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત લીધી ખૂબ પ્રભાવિત થયા આઉટ ઓફ પ્રિન્ટ અપ્રાપ્ય દુર્લભ પુસ્તકો ૧૩૫ વર્ષ જૂની એડિશનો વિષય વારી કરતા વારી ગોઠવણ સહિત ના વિભાગો નિહાળી અભિભૂત થયા હતા વર્ષ ના ૩૬૫ દિવસ ખુલ્લી રહેતી પુસ્તકાલય કોઈ પણ જાત ના લવાજમ શુલ્ક વગર ચાલતા જ્ઞાન મંદિર ના પ્રમુખ હરજીભાઈ નારોલા જીવનભાઈ હકાણી મંત્રી નટુભાઈ ભાતિયા સહિત કર્મચારી શ્રી અને વાંચક વર્ગ પાસે થી વિસ્તૃત માહિતી મેળવી હતીશ્રીમણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો થી અવગત થતા ડો ભાવનાબેન ગજેરા એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી સંસ્થા ની વિઝીટ બુક માં સુંદર સદેશ લખી સંસ્થા ની વ્યવસ્થા સંચાલન બદલ શુભેચ્છા પાઠવી હતી
દામનગર સાહિત્ય જગત ની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે સૌરાષ્ટ્ર યુનિ ના B.S.S ના ડો ભાવનાબેન ગજેરા

Recent Comments