*અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી* નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટીને ફરાર થઇ ગયેલ નાસતા ફરતા કેદીને રાજુલા બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.
ફરાર થયેલ કેદી અમરેલી જિલ્લા જેલ ખાતે પ્રોહિબીશનના કેસમાં કાચા કામના કેદી તરીકે હોય અને હાલ કોરોના વૈશ્વિક મહામારી સબબ આ કેદીને તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ દિન-૬૦ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ. આ કેદીને તા.૨૦/૦૩/૨૦૨૨ ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જિલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.
*પકડાયેલ કેદીઃ-* કૈલાશભાઇ સોમાભાઇ સોલંકી, ઉ.વ.૩૭, રહે.જાફરાબાદ, પીપળી કાંઠા, તા.જાફરાબાદ, જિ.અમરેલી
પકડાયેલ કેદીને અમરેલી જિલ્લા ખેલ ખાતે કેદ રહેવા સારુ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* ની સુચના અને માર્ગદર્શન હેઠળ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.
અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ કાચા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

Recent Comments