વિડિયો ગેલેરી

સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ગામે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા

…………………………………………….

સાંસદએ રૂ. ૪૦ લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાના બિલ્ડીંગ અને દાતાશ્રીના અનુદાનથી બનેલ સ્કુલ ગેટ તથા દીવાલના કામનું લોકાર્પણ કરેલ

…………………………………………….

સાથે સાથે પ્રાથમિક શાળામાં રૂ. ૫ લાખ રકમથી મંજુર થયેલ મધ્યાહન ભોજન રૂમ અને સેનિટેશનના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આજ રોજ અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ગામે અમરેલીના લોકપ્રીય સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના વરદ હસ્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સરકારશ્રી તરફ થી રૂ. ૪૦ લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાના બિલ્ડીંગ અને દાતાશ્રીના સહયોગથી રૂ. ૦૪ લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાના ગેટ અને કમ્પાઉન્ડ દીવાલના કામનું લોકાર્પણ તેમજ પ્રાથમિક શાળામાં રૂ. ૦૫ લાખના ખર્ચે મંજુર થયેલ સેનિટેશન અને મધ્યાહન ભોજન રૂમના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણી, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવણલાલ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી લલિતભાઈ બાળધા, એ.પી.એમ.સી. ડિરેક્ટર શ્રી અતુલભાઈ રાદડિયા, પ્રદેશ કિસન મોરચા કારોબારી સભ્ય શ્રી બી.એમ.ચોવટિયા, તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી મહેશભાઈ ભાલાળા, અમૃતવેલ સરપંચ શ્રી પ્રતાપભાઈ ખુમાણ, દાતા શ્રી આંબાભાઈ વેકરીયા, ભાજપ આગેવનો શ્રી ધીરુભાઈ શીંગાળા (કેરાળા), શ્રી પ્રતાપભાઈ ખુમાણ (ખડકાળા), શ્રી ભૂપતભાઈ ખુમાણ (મોલડી), શ્રી કાળુભાઈ લુણસર, શ્રી હિંમતભાઈ ચોવટિયા અને શ્રી કનુભાઈ ગેડિયા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.       

Related Posts