રાષ્ટ્રીય

કોંગ્રેસે લગાવ્યા ‘PayCM કરો’ પોસ્ટર, BJPએ આવી રીતે સાધ્યો નિશાનો

કર્ણાટકની સત્તારૂઢ BJP અને મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસની વચ્ચે પોસ્ટર વોર ચાલી રહી છે. બંને પાર્ટીઓએ એક-બીજાના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા QR કોડ પોસ્ટરનો ઉપયોગ કર્યો છે. વિપક્ષ પાર્ટી કોંગ્રેસે પહેલા ‘PayCM’ પોસ્ટર જાહેર કર્યું, ત્યાર બાદ BJP એ બુધવારે વિપક્ષી નેતા સિદ્ધારમૈયા અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમારવાળા QR કોડ પોસ્ટરની સાથે જવાબ આપ્યો.

કર્ણાટકમાં શરૂ થઇ પોસ્ટર વોર

કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાઓ પર લગાવવામાં આવેલા ‘PayCM’ પોસ્ટર પર મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈનાં ફોટો છે. નોંધનીય વાત આ છે કે, આમાં આપવામાં આવેલા QR કોડને સ્કેન કરનાર વ્યક્તિ 40% sarkar.com વેબસાઈટ પર ચાલ્યો જશે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના આ પોસ્ટરોથી રાજ્યની બંને પાર્ટીઓની વચ્ચે રાજનૈતિક વોર શરૂ થઇ છે. અધિકારીઓએ બેંગ્લોરમાં દીવાલો, સંસ્થાઓ પરથી પોસ્ટર હટાવવા માટે તાત્કાલિક BBMP કર્મીઓને કહ્યું છે. BJP MLC એમ રવિકુમારે કહ્યું કે, ‘કોંગ્રેસ નેતાઓએ અમારા CMને પ્રચાર કરવા માટે લગાવ્યા છે. તેમણે રાહુલ ગાંધીન પેમેન્ટ કરવી જોઈએ.’

BJP એ કોંગ્રેસનો ઘેરાવ કર્યો

MLC રવિકુમારે કહ્યું કે, સિદ્ધારમૈયાને એક ઘડિયાળની જરૂર છે. (હબલેટ ઘડિયાળ કાંડનો ઉલ્લેખ કરતા) અને તેમને પેમેન્ટ કરવા દો. પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારે જાહેરમાં કહ્યું કે, ‘તેમને ચાર પેઢીઓથી ધન મેળવ્યું છે, તેમને પેમેન્ટ કરવા દો.’ આની સાથે જ તેમણે કહ્યું કે, CMની ટીકા કરતા સમયે, ગરિમા હોવી જોઈએ.

BJP એ પણ લગાવ્યા પોસ્ટર

કોંગ્રેસ ધારાસભ્ય અને મીડિયા પ્રભારી પ્રિયાંક ખડગેએ કહ્યું કે, ‘PayCM’ અભિયાન વ્યક્તિગત નથી. તેમણે કહ્યું કે, જાહેર સ્થાન પર જે પણ ચર્ચા થઇ રહી છે, તેને પ્રચાર માટે લેવામાં આવી રહ્યું છે. કથિત રીતે BJP દ્વારા જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં સિદ્ધારમૈયા અને શિવકુમારના ફોટો છે, જેમાં લોકો પાસેથી રાજ્યને લૂંટવાના અને વ્યવસ્થાનો નાશ કરવા માટે રાજ્યમાંથી બંનેને બહાર કાઢવા માટે QR કોડને સ્કેન કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં નીચે આ પણ જણાવ્યું છે કે, બંને આ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે, કેવી રીતે રાજ્યનો વિનાશ કરી શકાય, કેવી રીતે ખોટું ફેલાવી શકાય અને શાંતિ ભંગ કરી શકાય.

CM બોમ્મઈએ ગૃહ વિભાગ પાસે માગ્યો રિપોર્ટ

આ દરમિયાન CM બોમ્મઈએ ગૃહ વિભાગ પાસે અચાનક સામે આવેલા પોસ્ટરો પર રિપોર્ટ માગ્યો છે. મામલો અધિકારીઓની જાણમાં આવ્યા પછી તાત્કાલિક જાહેર સ્થાનો પર લગાવવામાં આવેલા પોસ્ટરોને હટાવી દેવામાં આવ્યા.

Related Posts