અમરેલી જીલ્લા હોમગાર્ડ કચેરી ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા સાહેબ ના હસ્તે હોમગાર્ડ જવાન નું અવસાન થતાં એક લાખ પંચાવન હજાર નો ચેક અર્પણ કરવામાં આવ્યો
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/10/IMG-20221010-WA0128-1140x620.jpg)
અમરેલી જીલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ચિતલ યુનિટ ના જવાન મનસુખભાઈ મકવાણા નું અવસાન થતાં કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ ના વરદ હસ્તે હોમગાર્ડ વેલ્ફર ફંડ માંથી રૂપિયા એક લાખ પંચાવન હજાર નો સહાય ચેક તેમના વારસદાર ને અર્પણ કરવામાં આવ્યો હતો. તથા 26 મી જાન્યુઆરી 2022 પ્રજાસત્તાક દિન નિમિત્તે જાહેર કરવામાં આવેલ ચાર મુખ્યમંત્રી મેડલ અશોક જોષી અમરેલી જીલ્લા કમાન્ડન્ટ, પ્રવીણ સાવજ સાવરકુંડલા, હસમુખ સિંગલ લાઠી તથા પ્લાટુન સાર્જન્ટ ચિતલ ને ભારત સરકાર ના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી રૂપાલા સાહેબ હસ્તે મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા આ તકે અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, પૂર્વ જિલ્લા કમાન્ડન્ટ કાપડિયા સાહેબ, સેકન્ડ ઈન કમાન્ડર બળદેવસિંહ ગોહિલ, અમરેલી જીલ્લા હોમગાર્ડ દળ ના પબ્લિક રિલેશન ઓફિસર અમીતગીરી ગોસ્વામી વગેરે હોમગાર્ડ જવાનો, સ્ટાફ ઓફિસરો, યુનિટ અધિકારી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ કન્ટ્રોલ ઈન્ચાર્જ શરદ સાપરિયા ની યાદી જણાવેલ.
Recent Comments