સીટી સર્વે નાં લગત પ્રશ્નો ની બેઠક બોલાવતા ના.મુખ્ય દંડક કૌશીક વેકરીયા
અમરેલી શહેર ખાતે ના.મુખ્ય દંડક કૌશીક વેકરીયાના અધ્યક્ષ સ્થાને સીટી સર્વે અંગેનાં વિવિધ લોક હિતાથનાં પ્રશ્નો અન્વયે બેઠક બોલાવેલ હતી. જે બેઠકમાં અમરેલી સીટી સર્વે અંગેનાં જટીલ પ્રશ્નોનાં ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન આપેલ જે બેઠકમાં અમરેલી શહેરનાં રહેણાક હેતુનાં તથા બીન ખેતીનાં તેમજ પ્રોપટી કાર્ડ ને લગતા જટીલ પ્રશ્નો રાજય સરકાર સમક્ષ દરખાસ્ત સહ રજુ કરવા સુચનો કરેલ. જે બાબતે આગામી સમયમાં રાજયનાં મુખ્યમંત્રી સમક્ષ સીટી સર્વેનાં પ્રશ્નો બાબતે બેઠક બોલાવાશે. અને સમય મર્યાદા માં નિરાકરણ થાય તે બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ.
જે બેઠકમાં ઉપસ્થિત જીલ્લા કલેકટર ગૌરાંગભાઈ મકવાણા સાહેબ,જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયા, પી.પી.સોજીત્રા, અમરેલી નગરપાલીકાનાં ટાઉન પ્લાનિંગ ના ચેરમેન બ્રિજેશ કુરૂન્દલે, નગરપાલીકા પ્રતિનીધી ચંદુ રામાણી, શહેરનાં નામાંકિત સ્ટેમ્પ વેન્ડરો પરેશભાઈ આચાર્ય , તનસુખભાઈ ઠાકર, બિલ્ડર એશો. ના આગેવાનો ચંદુભાઈ વોરા, દીપકભાઈ મહેતા,કૌશીકભાઈ ટાંક અને સીટી સર્વે નાં અધિકારીશ્રી દોષી સાહેબ તથા તમામ સ્ટાફ ગણ હાજર રહયા હતા.
Recent Comments